ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નેપાળ પૂર: ‘પત્ની કાટમાળમાં દટાઈ ગઈ, અમે છત પર રહી જીવ બચાવ્યો’, પૂર પીડિતે સંભળાવી દર્દનાક આપવીતી
Last Updated: 07:29 AM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળમાં આવેલા ભીષણ પૂરે ભારે તબાહી સર્જી છે. અનેક લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો લાપતા બન્યા છે.રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં આવેલા પૂર બાદ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો જીવ બચાવવા માટે કલાકો સુધી ઘરની છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા.
ADVERTISEMENT
કેશવ પ્રસાદ બરાલે પોતાની દર્દનાક આપવીતી સંભળાવતા કહ્યું કે પૂરનું પાણી તેમના ઘરની ઉપરની માળ સુધી પહોંચી ગયું હતું. તેમની પત્ની કાટમાળમાં દટાઈ ગઈ હતી જ્યારે કેશવ સહિત પરિવારના અન્ય સભ્યો જીવ બચાવવા માટે છત પર પહોંચી ગયા હતા.કેશવે જણાવ્યું કે લગભગ 4થી 5 કલાક બાદ હેલિકોપ્ટર મારફતે તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ સતત પોતાના પરિવારજનોની ચિંતા કરી રહ્યા હતા.
આ પૂરમાં 11 વર્ષની રિહાના લામિછાને પણ મુશ્કેલીમાં ફસાઈ હતી. સ્કૂલથી ઘરે પરત ફરતી વખતે તે નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક પૂરનું પાણી ઝડપથી આવી ગયું હતું. આ ઘટનામાં તેની છાતી અને પગમાં ઈજા થઈ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેપાળમાં ભયાનક પૂરથી તબાહી, 157નાં મો*ત; 750થી વધુ લોકો લાપતા
ADVERTISEMENT
રિહાનાએ કહ્યું કે તે સુરક્ષિત હોવા બદલ ખુશ છે પરંતુ તેના મિત્રો ક્યાં છે તેની તેને જાણ નથી. પૂરનું પાણી અચાનક વધતા અનેક બાળકો અને પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા.
નેપાળના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ આ આપત્તિમાં 484 પ્રવાસીઓ લાપતા થયા છે. તેમાં 391 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. લાપતા વિદેશી પ્રવાસીઓમાં 100થી વધુ ભારતીયો પણ હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા એક મોટા ભૂસ્ખલન બાદ આ આપત્તિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. ભૂસ્ખલનના કારણે મોટી માત્રામાં બરફ, પથ્થરો, કાદવ અને પાણી લ્હેન્ડે ખોલા નદીમાં વહી ગયા હતા. ત્યારબાદ ભોટેકોશી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ