બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ખાતી વખતે કાચી ડૂંગળી ખાવી જોઈએ કે નહીં? એક્સપર્ટે કહ્યું આ લોકો માટે આફત
Last Updated: 04:07 AM, 10 March 2026
અનેક લોકો ફૂડમાં કાચી ડુંગળી ખાવાનો આનંદ માણે છે. ઘણીવાર તેને ક્રન્ચી સલાડ તરીકે કે ભારે ભોજન સાથે કાચી પીરસવામાં આવે છે. તે વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને સલ્ફરથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે જાણીતી છે. અમુક લોકો માટે તે જ કાચી ડુંગળી હાર્ટબર્ન, ગેસ, માઇગ્રેન કે એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. આથી કાચી ડુંગળી ક્યારે, કેટલી અને કોના માટે ખાવી યોગ્ય છે તે જાણવું જરૂરી છે.
ADVERTISEMENT
એક કપ સમારેલી કાચી ડુંગળીમાં આશરે 64 કેલરી અને લગભગ 3 ગ્રામ ફાઇબર હોય છે. તે વિટામિન સી, વિટામિન બી6, પોટેશિયમ અને બીજા પોષકતત્ત્વોનો સારો સ્ત્રોત છે જે એકંદર સ્વાસ્થ્યને મદદ કરે આપે છે. એક્સપર્ટ અનુસાર, ડુંગળીમાં ક્વેર્સેટિન અને સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જેમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણધર્મો હોય છે અને તે LDL (બેડ) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, સ્વસ્થ બ્લડ પ્રેશરને ટેકો આપવા અને લાંબા ગાળે હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
ડુંગળીમાં રહેલા પ્રીબાયોટિક ફાઇબર ગૂડ બેક્ટેરિયાને પોષણ આપે છે, જે નિયમિતપણે ઓછી માત્રામાં ખાવાથી પાચન, રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિક સ્વાસ્થ્યને પણ મદદ આપી શકે છે. અમુક સ્ટડી મુજબ ડુંગળી અને લસણ જેવી એલિયમ શાકભાજીના નિયમિત સેવનને પેટ અને કોલોરેક્ટલ કેન્સર સહિત ચોક્કસ કેન્સરના જોખમને ઘટાડવા સાથે જોડ્યું છે.
ADVERTISEMENT
પોષણશાસ્ત્રીઓ કહે છે કે તેમાં અસંખ્ય ફાયદા હોવા છતાં તે કેવી રીતે ખાવામાં આવે છે અને વ્યક્તિના ગટ હેલ્થ માટે અનુકુળ છે કે, નહીં રીત ડીપેન્ડ કરે છે. કે તે ફાયદો કરાવશે કે નુકસાન

ADVERTISEMENT
જો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) કે ખૂબ જ સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકો ડુંગળી ખાય છે તો તેમાં રહેલા ફ્રુક્ટન્સ પેટમાં આથો લાવે છે અને ગેસ, પેટનું ફૂલવું, કે લુઝ સ્ટુલનું કારણ બને છે.
ADVERTISEMENT
ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ બીમારી (GERD) કે વારંવાર હાર્ટબર્ન ધરાવતા લોકો માટે કાચી ડુંગળી એસિડ બળતરા વધારીને હાર્ટબર્ન અથવા ઓડકારને વધુ ખરાબ કરી શકે છે.
કાચી ડુંગળીમાં ટાયરામાઇન જેવા કમ્પાઉન્ડ સંવેદનશીલ વ્યક્તિઓમાં માથાનો દુખાવો પણ વધારી શકે છે. જેમાં માઇગ્રેનનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ડુંગળીથી એલર્જી ધરાવતા લોકોને ખંજવાળ, ફોલ્લીઓ, હોઠ કે જીભમાં સોજો, આંખોમાં પાણી, નાક ભરાઈ જવું કે ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આથી તેમને ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ ખાસ કરીને કાચી.
જો તમને પાચન સંબંધી કોઈ ગંભીર સમસ્યા ન હોય તો બપોરના ભોજનમાં સલાડમાં કાચી ડુંગળી ખાવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
ADVERTISEMENT
એક્સપર્ટ મુજબ, તમારા આહારમાં નિયમિતપણે ડુંગળીનો સમાવેશ કરવો, પછી ભલે તે રાંધેલી હોય કે કાચી, હૃદય અને મેટાબોલીઝમ માટે સારી હોઈ શકે છે, પરંતુ ડુંગળીની યોગ્ય માત્રા વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. મોટાભાગના લોકો જેમને પાચન અથવા રિફ્લક્સની સમસ્યા નથી તેમના માટે દિવસમાં એક કે બે વાર ભોજન સાથે નાનું સલાડ (થોડા ટુકડા અથવા બે ચમચી સમારેલી કાચી ડુંગળી સાથે) સામાન્ય રીતે સારું રહે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.