બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સંજય રાઉતે કહ્યું કે ભાજપે 50-50 ફોર્મ્યુલાનો વાયદો નિભાવવો જોઈએ. જેનો સીધો અર્થ થાય છે કે શિવસેના કેબિનેટમાં 50 ટકા ભાગીદાર હશે. સાથે જ તેમણે NCP સાથે જવાની વાત પર ખુલાસો કરતા કહ્યું કે રાજનીતિમાં બધા જ વિકલ્પ ખુલ્લા રાખવામાં આવે છે.
કેબિનેટમાં માંગ્યો સરખો ભાગ
ADVERTISEMENT
આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં મેદાનમાં ઉતર્યા અને પરિણામો આવ્યા બાદ જ્યારે શિવસેનાને ખબર પડી કે ભાજપ એકલા હાથે સરકાર બનાવી લે તેવી પરિસ્થિતિમાં નથી ત્યારે શિવસેનાએ ભાજપ પર દબાણ વધાર્યું હતું. હવે શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને ગઠબંધન ધર્મ નિભાવવાની વાત કરી છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે 50-50 ફોર્મ્યુલાનો વાયદો નિભાવવો જોઈએ. જેનો સીધો અર્થ થાય છે કે શિવસેના કેબિનેટમાં 50 ટકા ભાગીદાર હશે. સાથે જ તેમણે NCP સાથે જવાની વાત પર ખુલાસો કરતા કહ્યું કે રાજનીતિમાં બધા જ વિકલ્પ ખુલ્લા રાખવામાં આવે છે.
ADVERTISEMENT
સરકાર બનવાના વિલંબ માટે ભાજપ જવાબદાર
ADVERTISEMENT
શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર હુમલો બોલતા કહ્યું કે 'જો સરકાર બનવામાં વિલંબ થઇ રહ્યો છે તો તેમાં અમારો કંઈ વાંક નથી.' આ સાથે તેમણે ભાજપ દ્વારા હરિયાણામાં બનવવામાં આવેલી ખટ્ટર-દુષ્યંત સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે 'બે રાજ્યમાં ચૂંટણી હતી હરિયાણામાં પણ તેમને બહુમત મળ્યું નથી તો તેમણે એવા સંગઠન સાથે હાથ મિલાવી લીધો જે તેમનો કટ્ટર વિરોધી હતો.'
ADVERTISEMENT
ભાજપથી ગઠબંધન તોડી NCP સાથે હાથ મિલાવશે શિવસેના?
NCP સાથે ગઠબંધનની વાત પર સંજય રાઉતે કહ્યું કે 'અમે હજુ આના કોઈ વિચાર કર્યો નથી, અમે કોઈ ઉતાવળિયું પગલું ભરવા માંગતા નથી. જોકે સાથે તેમણે તેમ પણ કહ્યું કે રાજનીતિમાં કંઈ પણ સંભવ છે, વિકલ્પ હંમેશા ખુલ્લા રાખવા જોઈએ.' વધુમાં જણાવતા કહ્યું કે 'ચૂંટણી પહેલા વિપક્ષને ખતમ કરવાની વાત કરવામાં આવતી હતી, પણ શું થયું ?'
ADVERTISEMENT
અઢી વર્ષ સુધી મળવું જોઈએ મુખ્યમંત્રી પદ
સંજય રાઉતે કહ્યું કે અમે કોઈ સત્તાના ભૂખ્યા નથી પણ ગઠબંધન ધર્મ નિભાવવો એ દરેક ની ફરજ છે. આ તો લોકસભાની ચૂંટણી પહેલાં જ નક્કી થઇ ગયું હતું જેનો સીધો અર્થ થાય છે કેબિનેટમાં અમે સરખા ભાગીદાર બનીશું. અમને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ કેમ ના મળવું જોઈએ? અમે બધા રામમાં વિશ્વાસ રાખીએ છે અને રામની જેમ જ પ્રાણ જાએ પર વચન ના જાએની નીતિ અપનાવવી જોઈએ
'ભાજપને 105 બેઠક સાથે સરકાર બનાવવી છે તો આ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે'
સરકારના ગઠન પર સંજય રાઉતે કહ્યું કે 105 બેઠક સાથે જ ભાજપને સરકાર બનાવવી છે તો તેમને કોણ રોકી રહ્યું છે. જો આવું થઇ શકતું હોય તો આ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે કારણકે સરકાર બનાવવા માટે 145 બેઠકની જરૂર છે. જો કોઈ લોકતંત્રની હત્યા કરવા માંગે છે.
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકારના ગઠન માટે બેય પાર્ટીઓ વચ્ચે ખેચતાણ ચાલુ છે ત્યારે સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના નેતાઓએ અલગ અલગ રાજ્યપાલ સાથે મુલાકાત કરી જે બાદ તે મુલાકાતને માત્ર દિવાળી મિલન બતાવવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.