ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો 23 ઑક્ટોબરનાં ટી-20 વર્લ્ડકપમાં સામે-સામે ઊતરશે. બંને વચ્ચે ક્રિકેટ મહાયુદ્ધ મેલબર્નનાં મેદાનમાં થશે, તેનાથી પહેલાં પાકિસ્તાની ફેન્સ માટે મોટી ખબર એ છે કે પાકિસ્તાની પ્લેયર શાહીન શાહ આફરીદી 23 ઑક્ટોબરથી પહેલાં સાજાં થઇ શકે છે.
પાકિસ્તાની પ્લેયરનું કમબેક
શાહીન આફરીદીની થઇ શકે છે T20માં વાપસી
ભારત-પાકિસ્તાનની પહેલી મેચમાં થશે ધમાલ
ટી-20 વર્લ્ડકપ શરૂ થવાને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. 16 ઑક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયામાં શરૂ થશે અને 16 ટીમો એક ટ્રોફી માટે એકબીજાની વિરુદ્ધ રમશે. ટીમ ઇન્ડિયાની મેટ 23 ઑક્ટોબરથી શરૂ થશે જ્યાં પહેલી જ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રહેશે.
આ મેચ પહેલા પાકિસ્તાની માટે સારી ખબર એ છે કે પાકિસ્તાનનાં સૌથી ઝડપી ગેંદબાજ શાહીન શાહ આફરીદી ભારતની સામે થવાની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફીટ થઇ શકે છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ રમીજ રાજાએ આ જાણકારી આપી હતી. શાહીન શાહ આફરીદીને ઘૂંટણમાં ઇજા થવાને લીધે જૂલાઇ મહિનાથી મેદાનમાં ઊતર્યાં નથી. તે હવે સીધા ટી-20 વર્લ્ડકપમાં આવશે. એશિયા કપ 2022માં પણ તેઓએ હાજરી આપી નહોતી.
રમીજ રાજાએ આપી માહિતી
રમીજ રાજાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાણકારી આપી કે તેમની શાહીન સાથે વાતચીત થઇ છે અને તે કહી રહ્યાં છે કે તે હવે ઘણાં ફીટ છે. શાહીન 23 ઑક્ટોબરનાં થનારી ભારત-પાકિસ્તાન ટી-20 જંગમાં રમવા સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે.
માત્ર 22 વર્ષીય શાહીન આફરીદીને હાલનાં સૌથી ઝડપી અને ખતરનાક ગેંદબાજ માનવામાં આવે છે. ઑસ્ટ્રેલિયાની પીચો પર શાહીનનું કદ, તેની રફતાર અને તની સ્વીંગ કરવાની ક્ષમતા પાકિસ્તાન ટીમને કામ આવી શકે છે. અને વિરોધીઓ માટે સંભવત: મુશ્કેલી બની શકે છે.
ટી-20 વર્લ્ડકપ 2021માં પણ પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. તે મેચમાં શાહીન આફરીદીએ પોતાની ક્ષમતા વરસાવી હતી. શાહીને રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટની વિકેટ લીધી હતી અને ટીમ ભારતની બેટિંગની કમરતોડી દીધી હતી.