બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 05:12 PM, 5 June 2022
ADVERTISEMENT
જો તમે એસબીઆઇ બેંકમાં ખાતુ ધરાવો છો તો તમારા માટે બેંક દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી છે. જો તમે એટીએમમાંથી કેશ વિડ્રો કરશો તો તમારી પાસે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે નહી તો તમે ટ્રાન્સેક્શન કરી જ નહી કરી શકો. કારણ કે એસબીઆઇએ એટીએમ ટ્રાન્ઝેક્શનને વધારે સેફ કરવા માટે એક મહત્વનુ પગલુ લીધુ છે.
OTP દાખલ કરવો ફરજિયાત
ADVERTISEMENT
હવે તમારે SBI ATMમાંથી રોકડ ઉપાડવા માટે OTP દાખલ કરવો ફરજિયાત છે. આ નવા નિયમ હેઠળ ગ્રાહક OTP વિના રોકડ ઉપાડી શકશે નહીં. આમાં, રોકડ ઉપાડના સમયે, ગ્રાહકોને તેમના મોબાઇલ ફોન પર એક OTP આવશે જે દાખલ કર્યા પછી જ ATMમાંથી રોકડ ઉપાડી શકાશે.
જાણો શું છે નિયમ ?
તમને જણાવી દઈએ કે આ નિયમો 10,000 અને તેનાથી વધુના ઉપાડ પર લાગુ પડશે. SBI ગ્રાહકોએ તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપા઼ડવા માટે પિન નંબર ઉપરાંત રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી એન્ટર કરવાનો રહેશે. 10 હજાર કે તેનાથી વધારે રકમ ઉપાડવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.
અહીં પ્રક્રિયા જાણો
શા માટે બેંક લાવી આ નિયમ
ગ્રાહકોને છેતરપિંડીથી બચાવી શકાય તે માટે બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDM નું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અંદાજે 91 મિલિયન અને 20 મિલિયન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.