ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:50 PM, 12 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
BCCIનાં અધ્યક્ષ બની રહેવા માંગતા હતા સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીની જગ્યાએ રોઝર બિન્નીનું બીસીસીઆઈના અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી જ છે. આ બાબતને લઈને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ટીએમસીએ સૌરવ ગાંગુલીને પદ પરથી હટાવવાને દાદાનું અપમાન જણાવ્યું છે. તેમનું કહેવું છે કે જો જય શાહ બીસીસીઆઈ સચિવ બન્યા રહી શકે છે, તો સૌરવ ગાંગુલી અધ્યક્ષ સહાય માટે ન
રહી શકે.
ADVERTISEMENT

BCCIની મિટિંગમાં એવું શું થયું?
આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માંગતા હતા અને તેમણે ગઇકાલે થયેલ બીસીસીઆઈની બેઠકમાં પણ પોતાની વાત સામે રાખી હતી. ગાંગુલી બીસીસીઆઈ અથવા આઇસીસી અધ્યક્ષ બનવા માંગતા હતા, પણ તેમને જણાવવામાં આવ્યું હતું કે બોર્ડ અધ્યક્ષ પદને બીજો કાર્યકાળ આપાનું ચલણ નથી. બેઠાક દરમિયાન ગાંગુલીને IPLના ચેરમેન પદની પણ ઓફર આપવામાં આવી હતી, જે લેવાની તેમણે ના પાડી દીધી.
ADVERTISEMENT
ગાંગુલીએ આ કારણ ઠુકરાવી IPLના ચેરમેન પદની ઓફર
બીસીસીઆઈના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે સૌરવને આઈપીએલના ચેરમેન પદની ઓફર આપવામાં આવી હતી, પણ તેમણે ખૂબ જ શાંતિથી આ ઓફરનો અસ્વીકાર કરી દીધો. તેમનું તર્ક એ હતું કે બીસીસીઆઈ અધ્યક્ષ રહ્યા બાદ તેઓ તેની ઉપ સમિતિના પ્રમુખ ન બની શકે. તેમણે અધ્યક્ષ પદ પર રહેવામાં દિલચસ્પી જતાવી હતી. જણાવી દઈએ કે ગાંગુલી ના પાડવા પર અરુણ સિંહ ધૂમલને આઈપીએલના ચેરમેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બૃજેશ પટેલની જગ્યા લેશે.
.jpg)
ADVERTISEMENT
રોજર બિન્નીએ બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું
ભારતની 1983 વિશ્વ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા રોજર બિન્નીએ મંગળવારે બીસીસીઆઈનાં અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું છે. રોજર બિન્નીનાં આ પદ પર નિર્વિરોધ પસંદગી થવાની આશા છે. બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જાણકારી આપતા કહ્યું કે રોજર બિન્નીએ અધ્યક્ષ પદ, મેં ઉપાધ્યક્ષ પદ, જય શાહે સચિવ, આશિષ શેલારે કોષાધ્યક્ષ અને દેવજીત સૈકિયાએ સંયુક્ત સચિવ પદ માટે નામાંકન ભર્યા છે.
બેંગ્લોરના રહેનારા ૬૭ વર્ષીય રોજર બિન્ની બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે નામાંકન ભરનારા અત્યારે એકમાત્ર ઉમેદવાર છે અને જો કોઈ ઉમેદવાર દાવેદારી પેશ નથી કરતુ
તો ૧૮ ઓક્ટોબરના રોજ મુંબઈમાં થનારી બોર્ડની વાર્ષિક બેઠકમાં તેઓ સૌરવ ગાંગુલીની જગ્યાએ બીસીસીઆઈ અધ્યક્ષ બની જશે.
ADVERTISEMENT
જય શાહ સચિવ રહેશે
કેદ્રિય ગૃહ મંત્રી અમિત શાહનાં પુત્ર જય શાહે પણ નામાંકન દાખલ કર્યું છે અને જો કોઈ અન્ય ઉમેદવાર મેદાનમાં નથી ઉતરતો તો તે સતત બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈ સચિવ બન્યા રહેશે. જય શાહનાં આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનાં બોર્ડમાં પણ સૌરવ ગાંગુલીની જગ્યાએ ભારતીય પ્રતિનિધિ બનવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ