બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / sankat chauth upay astro tips for wealth and job

આસ્થા / આજે સંકટ ચોથ પર અપનાવો આ 3 સરળ ઉપાય, મળશે સરકારી નોકરી, માનસિક તણાવ પણ દૂર થશે

Manisha Jogi

Last Updated: 08:29 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સંકટ ચોથ છે. આજના દિવસે વ્રત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સંકટ ચોથના દિવસે કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • આજે સંકટ ચોથ છે
  • વ્રત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
  • સંકટ ચોથના દિવસે કરો આ ઉપાય

આજે સંકટ ચોથ છે. આજના દિવસે વ્રત કરવાખથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વ્રત બાળકોના દીર્ઘાયુ માટે લાભદાયી માનવામાં આવે છે. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ખાસ ઉપાય કરવાથી નોકરી, તંદુરસ્ત માનસિક આરોગ્ય અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. સંકટ ચોથના દિવસે કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સંકટ ચોથ ઉપાય
નોકરી મેળવવા ઉપાય

નોકરીમાં પ્રમોશન મેળવવા માંગો છો અથવા મનપસંદ નોકરી કરવા માંગો છો તો સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની માટીની મૂર્તિ બનાવો અને પંચોપચાર વિધિથી પૂજા કરો. ભગવાન ગણેશને પીળા વસ્ત્રો પહેરાવો અને તલ અને ગોળનો ભોગ ધરાવો. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને તમારી ઈચ્છા કહો અને વ્રત તોડો.

સંતાન પ્રાપ્તિ માટે ઉપાય
સંતાન પ્રાપ્તિ માટે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશનું નિર્જળા વ્રત કરો. આ દિવસે સવારે ઊઠીને વિધિ વિધાન સાથે ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણેશને તમારા મનની ઈચ્છા જણાવો. રાત્રે ચંદ્રના દર્શન કરીને, અર્ઘ્ય અર્પણ કરો અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા જણાવીને વ્રત તોડો. ટૂંક સમયમાં ભગવાન ગણેશ તમારી મનોકામના પૂર્ણ કરશે.

વધુ વાંચો: ખેડાના કામનાથ મંદિરમાં 623 વર્ષથી અખંડ જ્યોત, ઘીના માટલાના ભંડાર, દીવા રુપે ભોળાનાથ આવ્યાં

માનસિક શાંતિ માટે ઉપાય
મનમાં કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી હોય અને તણાવ અનુભવતા હોવ તો સંકટ ચોથના દિવસે ઉપવાસ કરો. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ સોમ સોમાય નમઃ' મંત્રનો જાપ કરો. આ પ્રકારે કરવાથી તમારો માનસિક તણાવ દૂર થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ