વર્ટિગો એક એવી બીમારી છે જેમાં વ્યક્તિને ચક્કર આવે છે. વોમિટિંગ જેવું થાય છે. આ સમસ્યાથી બચવા ઘરેલૂ ઉપાય કરી લો.
ચક્કર આવતા હોય તો બેદરકારી કરવી નહીં
ઘરેલૂ ઉપાય કરીને આ સમસ્યાને કરો ઠીક
ચક્કર અને વોમિટિંગની સમસ્યા માટે બેસ્ટ છે આ ઉપાય
માઇગ્રેન, માથામાં ઇજા થવી, નર્વસ સિસ્ટમ અને મગજમાં પરેશાની થવી, દવાઓની આડઅસર જેવા અનેક કારણો વર્ટિગો માટે જવાબદાર છે. વર્ટિગોને ઠીક કરવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકાય છે. ચાલો જાણીએ તેના વિશે.
લવિંગ
ચક્કર આવવા પર અડધા ગ્લાસ પાણીમાં બે લવિંગ નાખીને તેને ઉકાળી લો અને પછી તે પાણીને પીવો. આ પાણી પીવાથી ફાયદો થઈ શકે છે.
એલચી
એલચીમાં વર્ટિગોને ઠીક કરવાના ગુણ છે. તેના માટે 2 ચમચી તલનું તેલ ગરમ કરો તેમાં અડધી ચમચી એલચી અને તજનો પાઉડર મિક્સ કરી ગરમ કરો. આ તેલથી માથા અને ગરદન પર માલિશ કરો અને આખી રાત રહેવા દો. આ તમે દિવસ દરમિયાન અનેક વખત કરી શકો છો.
આદુ
આદુ મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધારી દે છે, જેનાથી મોશન સિકનેસ અને માઇગ્રેન જેવી સમસ્યાઓ નથી થતી. ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરી શકો છો. તેના માટે આદુને પાણીમાં ઉકાળીને ગાળી લો. તેમાં મધ મિક્સ કરીને ચાની જેમ થોડાં સપ્તાહ સુધી પીવો. આ સિવાય તમે દરરોજ આદુનો એક નાનકડો કટકો ચાવી પણ શકો છો.
આખા ધાણા
ધાણા વર્ટિગોને ઠીક કરવાની એક પ્રાચીન આયુર્વેદિક ઔષધી છે. એક કપ પાણીમાં એક ચમચી ધાણા અને એક ચમચી આમળાનો પાઉડર આખી રાત પલાળીને રાખી મૂકો. બીજા દિવસે સવારે તેને ગાળીને તેમાં મધ મિક્સ કરીને પીવો. તરત આરામ મળશે.
મસાજ થેરાપી
માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી સ્નાયુઓને આરામ મળે છે. તેમજ ચક્કર આવવા અને વોમિટિંગ જેવી સમસ્યા નથી થતી. એટલે એરોમેટિક તેલની મદદથી માથા અને ગરદનની આજુબાજુ સર્ક્યુલેશન મોશનમાં માલિશ કરવાથી ફાયદો થાય છે.