બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભોળાનાથ ભૂલની આકરી સજા આપશે! સોમવારે આ 5 કાર્યોથી ભગવાન શંકર થશે કોપાયમાન, જાણો કારણ

ધર્મ / ભોળાનાથ ભૂલની આકરી સજા આપશે! સોમવારે આ 5 કાર્યોથી ભગવાન શંકર થશે કોપાયમાન, જાણો કારણ

Published By: Maulik Patel

Last Updated: 07:30 AM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન મહાદેવને દેવોના દેવ તરીકે ઓળખાય છે. વ્રત કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. સોમવારનો દિવસ ભોલેનાથને સમર્પિત હોય છે. ભગવાન શિવની આરાધના કરવા માટે સોમવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. સોમવારે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ભારત દેશ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો દેશ છે. ભારતીય લોકોના જીવનમાં ભગવાનની ભક્તિ અને ભાવનું સ્થાન મોખરે રહ્યું છે. એવું કહેવાય છેકે ભારત દેશના કણ કણમાં શિવ એટલે કે ભગવાન વસે છે. આજે લોકો અલગ અલગ ભગવાનને તેના ઇષ્ટદેવ માની અને તેની પૂજા કરતાં હોય છે.

પરંતુ ભગવાન શિવએ બધાના ઇષ્ટદેવ તરીકે ઓળખાય છે. ભગવાન શિવની પૂજા અને નામજપ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. તેના ભક્તોનઆ આદિ, વ્યાયાદી અને ઉપાદી આ ત્રણેય દુખ ભાંગી ને ભુક્કો કરે છે.

lord-shiva-3

ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિપ્રિય છે તેથી શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવોપાસના કરતાં જોવા મળે છે. સોમવારનો દિવસ મહાદેવની પૂજાનો દિવસ છે. આજના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. કહેવાય છે કે જે ભક્તો પર મહાદેવની કૃપા વરસે છે. પરંતુ સોમવારે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સોમવારે આ ભૂલ ના કરવી

કાળા કપડાં ના પહેરવા

સોમવારે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન ક્યારેય પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ. સોમવારે કાળા કપડાં પહેરવા ભગવાન ભોળેનાથના પ્રકોપનો સામનો કરવો પડે છે.

lord-shiva-2

અનૈતિક કાર્ય ના કરવા

સોમવારે વ્રત કરવાનું વિચારી રહ્યા છો, તો તેના નિયમો વિશે પણ જાણકારી હોવી જોઈએ. સોમવારે ભગવાન શિવની પૂજા કરો છો, તો કોઈને નુકસાન થાય તેવું કામ બિલ્કુલ પણ ના કરવું જોઈએ. આ દિવસે અનૈતિક કાર્ય કરવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે.

જુગાર ના રમવું અને ચોરી ના કરવી

ધાર્મિક ગ્રંથો અનુસાર સોમવારે જુગાર, ચોરી અથવા અન્ય સ્ત્રી પર ખરાબ નજર રાખવા જેવા કાર્યો ના કરવા જોઈએ. આ પ્રકારના કાર્ય કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.

vtv app promotion

પૂજામાં તુલસીનો ઉપયોગ ના કરવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે પૂજામાં ભૂલથી પણ તુલસીનો ઉપયોગ ના કરવો જોઈએ. કહેવામાં આવે છે કે, તુલસી શ્રાપિત છે અને ભગવાન શિવે તેના પતિનો વધ કર્યો હતો. આ કારણોસર શિવ પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

વધુમાં વાંચો: શેર બજારોનો સાચો સરકારી 'શેર', 5 વર્ષમાં 450 ટકાનું આપ્યું રિટર્ન, કંપનીને મળ્યો મોટો ઓર્ડર

શ્રીફળ ના વધેરવું

ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ નારિયેળનો ઉપયોગ કરવો તે અશુભ માનવામાં આવે છે. નારિયેળને લક્ષ્મીદેવીનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે અને નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. જેથી નારિયેળને લક્ષ્મીમાતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણોસર શિવ પૂજામાં શ્રીફળનો ઉપયોગ થતો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion donot do this things on Monday lord shiv worship

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ