બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / પૈસાની તંગી હોય તો ઘરમાં કરજો આ ફેરફાર, ધન-સમૃદ્ધિમાં થશે વધારો
Last Updated: 08:33 PM, 15 May 2026
આપણે આપણા ઘરને સજાવવા માટે ઘણા પૈસા ખર્ચીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે એક નાનો અંધારો ખૂણો તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે? વાસ્તુ શાસ્ત્ર અનુસાર અંધારું ફક્ત પ્રકાશનો અભાવ નથી, તે નકારાત્મક ઉર્જાનું ઘર હોય છે. જે ઘરમાં સાંજ પડતા અંધારુ છવાઇ જાય ત્યા તણાવ, બીમારી અને પૈસાની તંગી રહેતી હોય છે. તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે તો આ છ જગ્યા પ્રકાશિત રાખવાનું ક્યારેય ભૂલશો નહીં.
ADVERTISEMENT
ઘરનો મુખ્ય દરવાજો
ઘરનો ઉંબરો એ છે જ્યાં ખુશી પ્રવેશ કરે છે. સાંજ પડતાંની સાથે અહી રોશની જરૂર કરો. અંધેર દરવાજો માત્ર અસલામતી જ નહીં પણ દેવી લક્ષ્મીના આગમનને પણ અવરોધે છે.
ADVERTISEMENT
મંદિર અથવા પૂજા સ્થળ
ભગવાનનું સ્થાન હંમેશા ઊર્જાથી ભરપૂર હોવુ જોઇએ. અહી એક નાનકડો દીવો અથવા બલ્બ હંમેશા ચાલુ રાખવો જોઈએ. જો પૂજા ઘરમાં અંધારું હોય તો તે મનમાં નિરાશા અને ઘરમાં અશાંતિ વધારે છે.
ADVERTISEMENT
રસોડું
રસોડાને ઘરનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે, કારણ કે ત્યાં બનેલી રસોઈ જ આપણને તંદુરસ્ત રાખે છે. તેથી સકારાત્મક ઊર્જાના પ્રવાહ માટે રાત્રે પણ રસોડામાં સામાન્ય અજવાળું રાખવું જોઈએ.
ADVERTISEMENT
ઘરની સીડી
વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડી પાસે અંધારું હોવું એ વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ છે. જો આવા સ્થાન પર અંધારું હોય તો તેનાથી જીવનમાં સંઘર્ષ અને કરિયરમાં અડચણો ઊભી થાય છે, તેથી જ્યાં સીડી હોય ત્યાં હંમેશા લાઈટ ચાલુ રાખવી જોઈએ.
ADVERTISEMENT
બાથરૂમ અને ટોયલેટ
સામાન્ય રીતે બાથરૂમ અને ટોયલેટની લાઈટો બંધ રાખવામાં આવે છે, પરંતુ ત્યાંનું અંધારું અને ભેજ રાહુ-કેતુનો પ્રભાવ વધારી શકે છે. તેથી આવા સ્થાને થોડું અજવાળું રાખવાથી ઘરના સભ્યોનું આરોગ્ય સારું રહે છે.
ADVERTISEMENT
તિજોરી
તમારા ઘરમાં જ્યાં તિજોરી હોય, તે સ્થાન પર ક્યારેય અંધારું ન હોવું જોઈએ. ધનના સ્થાન પર હંમેશા અજવાળું રહે તો બરકત જળવાઈ રહે છે અને નકામા ખર્ચા ઘટે છે.

આ પણ વાંચોઃ રૂપિયે રમશે આ 1 રાશિવાળાના જાતકો, એક્ટિવ થયો દ્વિદ્વાદશ યોગ
ખાસ ઉપાય : સાંજે સૂર્યાસ્ત પછી પૂજા-આરતી સમયે હંમેશા એક વાર આખા ઘરની લાઇટો જરૂર ચાલુ કરો. ઘરમાં કોઈ લાઈટ ખરાબ હોય તો તેને તરત ઠીક કરાવો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.