બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / VTV વિશેષ / તમારા કામનું / લોન ન ભરો તો બેન્ક કયા સંજોગોમાં મિલકત કબજે કરી શકે? RBIના નવા નિયમો સમજો
Last Updated: 09:52 AM, 17 July 2026
હોમ લોન, બિઝનેસ લોન કે અન્ય કોઈ પણ લોન ચૂકવવામાં ડિફોલ્ટ થાય તો બેંક સીધી તમારી મિલકત કબજે કરી શકે છે? આ સવાલ ઘણા લોકોના મનમાં રહે છે. હવે આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ નવા અને સ્પષ્ટ નિયમો જાહેર કર્યા છે. 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવનારા આ નિયમો હેઠળ બેંકો કઈ પરિસ્થિતિમાં મિલકત પોતાના નામે લઈ શકશે, તેની કિંમત કેવી રીતે નક્કી કરશે અને કેટલા સમય સુધી રાખી શકશે તે અંગે વિગતવાર ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણા કિસ્સાઓમાં લોનધારક લોન ચૂકવી શકતો નથી, ત્યારે બાકી રકમના બદલામાં બેંક તેની મિલકત પોતાના કબજામાં લે છે. જોકે બેંકનો વ્યવસાય રિયલ એસ્ટેટ રાખવાનો નથી. તેથી આવી મિલકતોનું મૂલ્યાંકન, સંચાલન અને વેચાણ પારદર્શક રીતે થાય તે માટે RBIએ એકસરખા નિયમો બનાવ્યા છે.
ADVERTISEMENT
RBIએ આવી મિલકતોને Specified Non-Financial Assets (SNFA) નામ આપ્યું છે.
ADVERTISEMENT
જ્યારે લોનધારક લોન ચૂકવી શકતો નથી અને તેના બદલામાં બેંક મિલકત પોતાના નામે લે છે, ત્યારે તે મિલકત SNFA ગણાશે.આ નિયમ SARFAESI Act સહિત અન્ય કાયદા હેઠળ કબજે કરાયેલી મિલકતો પર પણ લાગુ પડશે.પરંતુ મિલકતનો કાયદેસર માલિકી હક બેંકના નામે ટ્રાન્સફર થયા પછી જ તેને SNFA ગણવામાં આવશે.સૌથી મહત્વની વાત એ છે કે, જે લોન પહેલેથી NPA (Non-Performing Asset) જાહેર થઈ ગઈ હોય, તેવા કેસમાં જ આ પ્રક્રિયા લાગુ પડશે.
ADVERTISEMENT
RBIએ બેંકોને મનફાવે તેવી કિંમત લખવાની છૂટ આપી નથી. નવા નિયમો મુજબ મિલકતની કિંમત ઓછામાં ઓછી બે સ્વતંત્ર મૂલ્યાંકનકારો નક્કી કરશે. બેંક પોતાના બેલેન્સ શીટમાં મિલકતની એન્ટ્રી લોનની બાકી કિંમત અથવા ડિસ્ટ્રેસ સેલ વેલ્યૂ – બંનેમાંથી જે ઓછી હોય તે પ્રમાણે કરશે. જો મિલકતથી માત્ર લોનનો અમુક હિસ્સો જ વસૂલ થયો હોય તો બાકીની લોનને 'રિસ્ટ્રક્ચર્ડ લોન' તરીકે ગણવામાં આવશે. બેંક મિલકત કેટલા સમય સુધી રાખી શકશે?
ADVERTISEMENT
દરેક બેંકે પોતાની પોલિસી બનાવવી પડશે જેમાં મિલકત ક્યારે કબજે કરવી, ક્યારે વેચી દેવી, કેટલી મિલકતો રાખી શકાય, અને વેચાણ માટે મહત્તમ સમયમર્યાદા શું હશે, તેનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે. 7 વર્ષની અંદર વેચવી પડશે. નવા નિયમો મુજબ બેંકે આવી મિલકત વધુમાં વધુ 7 વર્ષમાં વેચી દેવી પડશે.
ના.
RBIએ સ્પષ્ટ મનાઈ કરી છે કે બેંક કબજે કરેલી મિલકત ફરીથી તે જ ડિફોલ્ટર અથવા તેના સંબંધિત વ્યક્તિને વેચી શકશે નહીં. મોટાભાગના કિસ્સામાં મિલકતનું વેચાણ જાહેર હરાજી દ્વારા કરવું પડશે.

30 સપ્ટેમ્બર 2026 સુધી બેંકો પાસે રહેલી આવી મિલકતો માટે એક વર્ષની મુદત આપવામાં આવી છે. એટલે કે, તમામ જૂના કેસોને 30 સપ્ટેમ્બર 2027 સુધી નવા નિયમો પ્રમાણે લાવવા પડશે.
આ નિયમનો અર્થ એવો નથી કે બેંક કોઈપણ સમયે તમારી મિલકત કબજે કરી શકે. પહેલા લોન NPA બનવી જરૂરી છે, ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ મિલકત બેંકના નામે આવશે. RBIનું માનવું છે કે આ ફ્રેમવર્કથી મિલકત કબજે કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે, બેંકો લાંબા સમય સુધી રિયલ એસ્ટેટ રાખશે નહીં અને લોન વસૂલાતની સમગ્ર પ્રક્રિયામાં એકરૂપતા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.