બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 AM, 17 July 2026
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વર્ષ 2021માં અશ્લીલ વીડિયો કેસમાં ધરપકડ થયા બાદ તેમણે લાંબો કાયદાકીય સંઘર્ષ કર્યો છે. હવે આ મામલે તેમણે પોતાના મુશ્કેલ સમય અને જેલમાં વિતાવેલા 63 દિવસ વિશે વાત કરી છે. રાજ કુન્દ્રાએ કહ્યું કે તેમને માત્ર ન્યાય જોઈએ છે અને જો તેઓ નિર્દોષ છે તો તેમને ક્લીનચિટ મળવી જોઈએ.
ADVERTISEMENT
વર્ષ 2021માં રાજ કુન્દ્રા પર મોબાઈલ એપ દ્વારા અશ્લીલ વીડિયો ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને લગભગ 63 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હવે આ મામલે વાત કરતા રાજ કુન્દ્રાએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે આ કેસનો અંત આવે. તેમણે કહ્યું કે જો તેમણે કોઈ ખોટું કર્યું હોય તો તેમને સજા મળવી જોઈએ અને જો તેઓ નિર્દોષ છે તો તેમને ક્લીનચિટ આપવામાં આવે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ કુન્દ્રાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ કેસ લડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આરોપોમાંથી તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જે કહી રહ્યા છે કે જો ભૂલ કરી હોય તો સજા આપો. તેમણે કહ્યું કે જો તેઓ દોષી સાબિત થશે તો તેઓ કોઈપણ પરિણામ ભોગવવા તૈયાર છે. રાજે આ દરમિયાન પોતાની નિર્દોષતા પણ વ્યક્ત કરી અને ન્યાયની રાહ જોઈ રહ્યા હોવાનું જણાવ્યું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'આમિર ખાનને મારશે તેને 5 કરોડ આપીશ', જાણો પરમહંસ આચાર્ય આમીર ખાન પર કેમ ભડક્યા?
ADVERTISEMENT
રાજ કુન્દ્રાએ પોતાના ખરાબ સમયને યાદ કરતા કહ્યું કે ધરપકડ બાદ તેમણે અને શિલ્પા શેટ્ટીએ ઘણા બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું કે તેમના રોકાણ ઘણા ક્ષેત્રોમાં હતા. જેમાં સ્પોર્ટ્સ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ, હોમ શોપિંગ બિઝનેસ અને ટેક્નોલોજી કંપનીનો સમાવેશ થતો હતો. આ બિઝનેસ સાથે જોડાયેલા લગભગ 4000 લોકોની રોજીરોટી પણ જોડાયેલી હતી.
ADVERTISEMENT
રાજ કુન્દ્રાએ કહ્યું કે આર્થર રોડ જેલમાં વિતાવેલા 63 દિવસ તેમના જીવનના સૌથી ડરામણા દિવસો હતા. તે સમય દરમિયાન તેમને ખબર નહોતી કે આગળ શું થશે. તેમ છતાં તેમણે કહ્યું કે તેઓ જીવનમાંથી એ સમયને દૂર કરવા માંગતા નથી. તેમના મતે આ અનુભવથી તેમને પોતાના લોકો અને સંબંધોની સાચી ઓળખ થઈ.
રાજ કુન્દ્રા બ્રિટિશ-ભારતીય બિઝનેસમેન છે. તેમણે વર્ષ 2009માં અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં બંનેને પુત્ર થયો હતો. ત્યારબાદ વર્ષ 2020માં સરોગસી દ્વારા તેમના પરિવારમાં પુત્રીનું આગમન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.