ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:09 PM, 11 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
PM મોદી આવ્યા હતા જામનગર
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ઘણા સ્થળો પર રેલી કરી હતી. આ દરમિયાન તેમણે જામનગરની જનતાને પણ સંબોધિત કરી હતી. આ વચ્ચે ભારતીય ઓલરાઉન્ડર અને જામનગર સાથે સંબંધ ધરાવનાર રવીન્દ્ર જાડેજાએ પોતાના ટ્વીટરનાં માધ્યમથી પ્રધાનમંત્રીની રેલીનું સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT
રવીન્દ્ર જાડેજાએ ટ્વીટર પર કર્યું PM મોદીનું સ્વાગત
જાડેજાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર PM મોદીની તસવીરને પોસ્ટ કરીને લખ્યું કે - મારા ગૃહનગરમાં તમારું સ્વાગત છે અમારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ. જાડેજાએ ટીવી પર જનતાને સંબોધિત કરી રહેલા PM મોદીની તસવીર ક્લિક કરીને પોસ્ટ કરી. ભારતીય ઓલરાઉન્ડર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી PM મોદીની તસવીરની નીચે જાડેજાની તસવીર જોવા મળી રહી હતી. આવામાં એક ટ્વીટર યૂઝરે જાડેજાને પૂછ્યું કે શું મોદીજીનો તાર તમારા માથા પર ઘૂસી ગયો છે?
ADVERTISEMENT
Welcome to my hometown our Hon’ble prime minister @narendramodi saheb🙏🏻#jamnagar pic.twitter.com/PrRXbelmpE
— Ravindrasinh jadeja (@imjadeja) October 10, 2022
ADVERTISEMENT
Yes direct connection
— Ravindrasinh jadeja (@imjadeja) October 10, 2022
ADVERTISEMENT
મોદીજી સાથે સીધું કનેક્શન છે - જાડેજા
આ સવાલનો જાડેજાએ મજેદાર જવાબ આપ્યો. જાડેજાએ તે યુઝરને જવાબ આપતા કહ્યું કે હા, સીધું કનેક્શન છે.
ADVERTISEMENT
જાડેજાનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીની સક્રિય કાર્યકર્તા છે. તેમણે વર્ષ 2019માં બીજેપીની સદસ્યતા લીધી હતી. તેઓ મોટેભાગે ભાજપા સાથે જોડાયેલ રાજનીતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. આવામાં ટ્વીટર પર યૂઝર્સે જાડેજાની મજાક કરવાની કોશિશ કરી, જેના પર ભારતીય ઓલરાઉન્ડરે મજેદાર જવાબ આપ્યો.
સંકળાયેલા મુદ્દાઓ