બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ભક્તિમય વાતાવરણ, પગથિયાં પર વહેતા ઝરણાં સમા દૃશ્યો
Last Updated: 10:45 PM, 1 July 2026
યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ જામતા સમગ્ર ડુંગર હરિયાળીથી છવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે ડુંગરના પગથિયાં પરથી પાણીના પ્રવાહો વહેતા જોવા મળી રહ્યા છે, જે કુદરતી ઝરણાંનો અહેસાસ કરાવતા મનમોહક દૃશ્યો સર્જી રહ્યા છે.
ADVERTISEMENT
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પહોંચ્યા
વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા. વરસાદ વચ્ચે ભક્તો ભક્તિભાવ સાથે દર્શન કરી રહ્યા છે અને કુદરતી સૌંદર્યની સાથે આધ્યાત્મિક શાંતિનો પણ અનુભવ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડુંગર પર ઠંડકભર્યા પવન, હરિયાળી અને વહેતા પાણીના મનોહર દૃશ્યોએ સમગ્ર વિસ્તારને આહલાદક અને ખુશનુમા બનાવી દીધો છે. વરસાદી ઋતુમાં પાવાગઢનું આ મનમોહક સ્વરૂપ પ્રવાસીઓ અને ભક્તો બંને માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચોઃ અનુપમસિંહ ગેહલોત બન્યાં અમદાવાદના નવા પોલીસ કમિશનર, રથયાત્રા પહેલા સરકારે કરી નિયુક્તી
ADVERTISEMENT
માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
કુદરતના અદભૂત નજારાઓ વચ્ચે માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. વરસાદી માહોલે પાવાગઢની સુંદરતામાં વધુ વધારો કર્યો છે, જેના કારણે યાત્રાધામમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.