બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધો.10માં ત્રણ ભાષા ફરજિયાત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
Last Updated: 08:29 AM, 29 June 2026
રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 10માં ત્રણ ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. શિક્ષણ બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ના વિષય માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકૌશલ્યનો વિકાસ કરવાનો અને નવી શિક્ષણ નીતિનું અસરકારક અમલીકરણ કરવાનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા વિષય માળખા મુજબ શાળા જે માધ્યમની હશે તે પ્રથમ ભાષા તરીકે રહેશે. એટલે કે ગુજરાતી માધ્યમની શાળામાં ગુજરાતી પ્રથમ ભાષા રહેશે, જ્યારે અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજી પ્રથમ ભાષા તરીકે ભણાવવામાં આવશે. આ સાથે અંગ્રેજી અને ગુજરાતી દ્વિતીય ભાષા તરીકે ભણાવવામાં આવશે. આમ, વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ભાષા તરીકે નિર્ધારિત ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે.
ADVERTISEMENT
શિક્ષણ વિભાગના નવા નિયમો મુજબ ત્રીજી ભાષા તરીકે વિદ્યાર્થીઓએ હિન્દી, સંસ્કૃત, અરબી, ફારસી, સિંધી અથવા ઉર્દૂ જેવા વિષયોમાંથી કોઈ એક ભાષા પસંદ કરીને તેનો અભ્યાસ કરવો પડશે. અગાઉ વિદ્યાર્થીઓને ત્રીજી ભાષાના વિકલ્પ તરીકે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હતા, પરંતુ હવે નવી વ્યવસ્થા મુજબ ત્રીજી ભાષાનો અભ્યાસ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ બદલાવ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અત્યાર સુધી ત્રીજી ભાષાના વૈકલ્પિક સ્થાને વોકેશનલ વિષય રાખવાની વ્યવસ્થા હતી. જોકે, નવા વિષય માળખામાં આ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રીજી ભાષાના વૈકલ્પિક સ્થાને રાખવામાં આવતો વોકેશનલ વિષય હટાવી દેવામાં આવ્યો છે. તેના બદલે વોકેશનલ વિષયને અલગ રીતે સ્થાન આપવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ ભાષા શિક્ષણ સાથે કૌશલ્ય આધારિત અભ્યાસ પણ કરી શકે.
આ પણ વાંચો : અમદાવાદમાં આજે જળયાત્રા, 108 કળશમાં જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે
ADVERTISEMENT
શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ હવે વોકેશનલ વિષયને 'આઠમા વિષય' તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે વિદ્યાર્થીઓ ત્રીજી ભાષાની જગ્યાએ હવે વોકેશનલ વિષય પસંદ કરી શકશે નહીં, પરંતુ તે અલગ વિષય તરીકે અભ્યાસ કરી શકશે. આ નવા વિષય માળખા સાથે રાજ્યની તમામ શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી અમલ શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડના આ નિર્ણયથી ધોરણ 10ના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો છે અને વિદ્યાર્થીઓએ નવા નિયમો અનુસાર અભ્યાસ કરવો પડશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.