બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ખાનગી બસ ચાલકો બેફામ, ફૂટપાથ પર બનાવી દીધી ઑફિસ, ખુલ્લેઆમ નિયમોના ધજાગરા
Last Updated: 09:32 AM, 29 June 2026
Ahmedabad Private Bus Parking : મેટ્રો સિટી અમદાવાદમાં સુર્યની પહેલી કિરણથી જ જાણે કે, કાયદાઓનું ઉલ્લંઘન શરૂ થઈ જાય છે. વાસ્તવમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર માર્ગોના ઉપયોગને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ગીતા મંદિર વિસ્તાર નજીક ખાનગી બસ સંચાલનને લઈને સામે આવેલી સ્થિતિએ સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓ વધારી દીધી હોવાનું જોવા મળ્યું છે. VTV ન્યૂઝ દ્વારા જ્યારે આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં વહેલી સવારથી જ અનેક ખાનગી બસો રસ્તા અને જાહેર વિસ્તારોમાં પાર્ક કરવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને એસટી બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં બસોની અવ્યવસ્થિત પાર્કિંગને કારણે રસ્તાની પહોળાઈ ઘટી જતી હોવાનું અને વાહન વ્યવહાર પર સીધી અસર થતી હોવાનું જોવા મળ્યું.
ADVERTISEMENT

શું કહી રહ્યા છે સ્થાનિકો ?
ADVERTISEMENT
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તા વચ્ચે અથવા માર્ગની બાજુએ લાંબા સમય સુધી ઉભી રહેનારી બસોના કારણે રોજિંદા ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે. અનેક વખત સામાન્ય વાહનચાલકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર સ્થિતિ દરમિયાન નિયમોના અમલ અને દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે.
VTV ન્યૂઝ દ્વારા જ્યારે આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે કેટલાક સ્થળોએ પોલીસ અને બસ સંચાલકો વચ્ચે વાતચીત થતી જોવા મળી હોવા છતાં પાર્કિંગ હટાવવાની દિશામાં તાત્કાલિક કાર્યવાહી દેખાઈ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ કેટલાક ડ્રાઇવરોનું કહેવું છે કે, તેઓ માલિકોના સૂચન પ્રમાણે શહેરમાં બસ લાવે છે અને ઘણા કિસ્સાઓમાં તેમને સ્થાનિક નિયમો અને મર્યાદાઓ અંગે પૂરતી જાણકારી હોતી નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફૂટપાથનો ઉપયોગ ખાનગી બસ સંચાલનની કામગીરી માટે
ચિંતાજનક બાબત એ પણ સામે આવી કે, કેટલાક વિસ્તારોમાં ફૂટપાથનો ઉપયોગ મુસાફરો માટે નહીં પરંતુ ખાનગી બસ સંચાલનની કામગીરી માટે થતો હોવાનું જોવા મળ્યું. જેના કારણે પગપાળા ચાલનારા લોકો માટે પણ અવરજવર મુશ્કેલ બની શકે છે. શહેરના વ્યસ્ત પરિવહન વિસ્તાર તરીકે ઓળખાતા ગીતા મંદિર વિસ્તારમાં આવી સ્થિતિને લઈને હવે સવાલ એ ઊભો થયો છે કે, જાહેર માર્ગો અને ફૂટપાથનો ઉપયોગ નિયમો અનુસાર થશે કે નહીં અને સંબંધિત તંત્ર કેટલા અસરકારક રીતે કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.