બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અનુપમસિંહ ગેહલોત બન્યાં અમદાવાદના નવા પોલીસ કમિશનર, રથયાત્રા પહેલા સરકારે કરી નિયુક્તી

BIG BREAKING / અનુપમસિંહ ગેહલોત બન્યાં અમદાવાદના નવા પોલીસ કમિશનર, રથયાત્રા પહેલા સરકારે કરી નિયુક્તી

Vishal Khamar

Last Updated: 09:50 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને નવા પોલીસ કમિશ્નર મળ્યા છે. સુરત પોલીસ કમિશ્રર અનુપમસિંહ ગેહલોત અમદાવાદના પોલીસ કમિશ્નર બન્યા છે.

રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા છે. વરિષ્ઠ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેમના નામની ચર્ચા પોલીસ કમિશનરની રેસમાં ચાલી રહી હતી અને અંતે સરકાર દ્વારા તેમના નામ પર મહોર મારવામાં આવી છે.

અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થા, ગુનાખોરી પર નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ નાગરિકોની સુરક્ષા જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. રાજ્યના સૌથી મોટા અને આર્થિક રીતે મહત્વપૂર્ણ શહેર તરીકે અમદાવાદમાં પોલીસ કમિશનરની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવે છે.

પોલીસ વિભાગમાં લાંબા અનુભવ ધરાવતા અનુપમસિંહ ગેહલોતે અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સફળતાપૂર્વક ફરજ બજાવી છે. તેમની વહીવટી કુશળતા અને કડક કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

  • અનુપમ સિંહ ગેહલોત 1997 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી
  • વર્ષ 2013માં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ Police Medal for Meritorious Serviceથી સન્માનિત
  • 14 એપ્રિલ 2024થી સુરત માં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે
  • કાયદો-વ્યવસ્થા અને ગુનાઓ સામેની કડક કામગીરી માટે જાણીતા અધિકારી

નવા પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમ સામે કાર્યવાહી અને સ્માર્ટ પોલીસિંગને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ન બોલનાર લૂંટારુ ચોકલેટથી બોલ્યો! રાજવી પરિવાર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો

શહેરના નાગરિકો તેમજ પોલીસ વિભાગે નવા પોલીસ કમિશનરને શુભેચ્છા પાઠવી છે. હવે સૌની નજર તેમની આગામી કામગીરી અને અમદાવાદ પોલીસ માટેની પ્રાથમિકતાઓ પર રહેશે.

કોણ છે અમદાવાદના પોલીસ કમિશ્રનર

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે વર્ષ 1997ની બેચના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાંથી B.E. અને M.Tech. સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર ગહેલોત પોલીસ વહીવટ અને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂકેલા ગહેલોત તેમની વહીવટી કુશળતા અને વ્યૂહાત્મક કામગીરી માટે જાણીતા છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂકથી શહેરમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Police Commissioner Ahmedabad Police Commissioner Anupamsinh Gehlot Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ