બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલ-ડીઝલ પરનો વિન્ડફોલ ટેક્સ 5.5 રૂપિયા ઘટ્યો, ડીઝલ અને ATF પર રાહત, પેટ્રોલ નિકાસ પર ડ્યુટીમાં વધારો

ઘટાડો / પેટ્રોલ-ડીઝલ પરનો વિન્ડફોલ ટેક્સ 5.5 રૂપિયા ઘટ્યો, ડીઝલ અને ATF પર રાહત, પેટ્રોલ નિકાસ પર ડ્યુટીમાં વધારો

Kalpesh Kandoria

Last Updated: 07:22 AM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગુ વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર જાહેર કર્યો છે. 1 જુલાઈ 2026થી અમલમાં આવેલા નવા દરો મુજબ ડીઝલ અને ATF પર ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ વધારવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગુ વિન્ડફોલ ટેક્સમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. નવા નિર્ણય મુજબ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર લાગુ વિશેષ વધારાની નિકાસ ડ્યુટી (SAED)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ વધારવામાં આવ્યો છે. સુધારેલા દરો 1 જુલાઈ, 2026થી અમલમાં આવ્યા છે.

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ડીઝલની નિકાસ પર SAED હવે ₹14 પ્રતિ લિટરના બદલે ₹8.5 પ્રતિ લિટર રહેશે. ATF પરની ડ્યુટી ₹12.5 પ્રતિ લિટરથી ઘટાડીને ₹7.5 પ્રતિ લિટર કરવામાં આવી છે. બીજી તરફ, પેટ્રોલની નિકાસ પર લાગુ વિન્ડફોલ ટેક્સ ₹1.5 પ્રતિ લિટરથી વધારીને ₹4 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

દર પખવાડિયે થાય છે સમીક્ષા

પશ્ચિમ એશિયામાં વધેલા ભૂરાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારમાં આવેલા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર આ વિશેષ ડ્યુટી લાગુ કરી હતી. ત્યારથી સરકાર દર પખવાડિયે તેની સમીક્ષા કરી રહી છે. શરૂઆતમાં આ ડ્યુટી ડીઝલ અને ATF સુધી મર્યાદિત હતી, પરંતુ બાદમાં મે મહિનાથી પેટ્રોલને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું હતું.

કેટલાક દેશો માટે નિકાસને છૂટ

સરકારે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ રાહત પણ જાહેર કરી છે. અગાઉ નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થતી નિકાસને જે છૂટ આપવામાં આવી હતી, તે હવે મોરેશિયસ અને માલદીવ સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

શું સામાન્ય ગ્રાહકો પર પડશે અસર?

વિન્ડફોલ ટેક્સમાં થયેલા આ ફેરફારની સીધી અસર દેશના પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર થવાની શક્યતા નથી. કારણ કે આ ડ્યુટી રિટેલ ગ્રાહકો પર નહીં પરંતુ તેલની નિકાસ કરતી કંપનીઓ પર લાગુ પડે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓ જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરે છે ત્યારે આ વિશેષ ડ્યુટી ચૂકવવી પડે છે.

સરકારનો શું છે હેતુ?

સરકારનું માનવું છે કે વિન્ડફોલ ટેક્સનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવને કારણે થતી અસામાન્ય કમાણી પર નિયંત્રણ લાવવાનો અને સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવાનો છે. જરૂરિયાત અનુસાર સરકાર આ ટેક્સમાં વધારો કે ઘટાડો કરીને નિકાસ અને સ્થાનિક પુરવઠા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Windfall Tax Diesel Export Duty Petrol Export Duty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ