બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: માત્ર મેરેજ રજિસ્ટ્રેશનથી હિંદુ લગ્ન માન્ય નહીં, સપ્તપદી સહિતની વિધિઓ અનિવાર્ય

અમદાવાદ / ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: માત્ર મેરેજ રજિસ્ટ્રેશનથી હિંદુ લગ્ન માન્ય નહીં, સપ્તપદી સહિતની વિધિઓ અનિવાર્ય

Priykant Shrimali

Last Updated: 09:02 AM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hindu Marriage Act : માત્ર મેરેજ રજિસ્ટ્રેશનથી લગ્ન માન્ય નહીં: ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ અભિગમ, આવો જાણીએ શું છે સમગ્ર કેસ ?

Hindu Marriage Act : લગ્નની માન્યતા પર ગુજરાત હાઇકોર્ટનો એક મોટો અને મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. વાસ્તવમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, હિંદુ લગ્ન માત્ર મેરેજ સર્ટિફિકેટ અથવા રજિસ્ટ્રેશનના આધારે કાયદેસર માન્ય બની જતા નથી. લગ્નને માન્ય ગણાવવા માટે હિંદુ મેરેજ એક્ટ હેઠળ નિર્ધારિત ધાર્મિક વિધિઓ અને પરંપરાઓનું પાલન જરૂરી છે. જે સમાજ અથવા પરિવારમાં સપ્તપદી (સાત ફેરે) જેવી પરંપરા અમલમાં હોય, ત્યાં તે વિધિઓ પૂર્ણ થયા વિના લગ્ન પૂર્ણ ગણાઈ શકતા નથી.

જાણો શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ આ કેસમાં વિદેશમાં રહેતા એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, તેની સાથે કોઈ લગ્ન વિધિ યોજાયા વગર દસ્તાવેજો પર સહી કરાવી મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું. કેસની સુનાવણી દરમિયાન મહિલાએ પણ સ્વીકાર્યું કે, બંને વચ્ચે લગ્નની કોઈ પરંપરાગત વિધિ થઈ નહોતી અને તેઓ ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા નહોતા. તે છતાં નીચલી અદાલતે માત્ર રજિસ્ટ્રેશનને આધારે અરજી ફગાવી હતી.

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ઇલેશ જે. વોરા અને આર.ટી. વાછાણીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, લગ્નનું પ્રમાણપત્ર ફક્ત એવા લગ્નનો રેકોર્ડ છે જે પહેલાથી જ થઈ ચૂક્યા છે. તે પોતે જ લગ્નને માન્ય કરતું નથી. અગાઉ સુનાવણી દરમિયાન, મહિલાએ ફેમિલી કોર્ટમાં સ્વીકાર્યું કે કોઈ લગ્ન સમારંભ થયો નથી અને બંને ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા નથી. આમ છતાં ફેમિલી કોર્ટે ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે પુરુષની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે આ આદેશને રદ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જરૂરી લગ્ન વિધિઓ કરવામાં ન આવી હોય ત્યારે ફક્ત નોંધણીના આધારે લગ્નને હિન્દુ લગ્ન ગણી શકાય નહીં.

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી ધોધમાર વરસાદની આગાહી, 8 જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કરાયું

લગ્ન માત્ર કાનૂની ઔપચારિકતા નથી

હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 7નો ઉલ્લેખ કરીને, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, હિન્દુ લગ્ન ત્યારે જ વિધિવત માનવામાં આવશે જો કાયદા અને સંબંધિત સમુદાયની પરંપરા અનુસાર જરૂરી વિધિઓ કરવામાં આવી હોય. કોર્ટે જણાવ્યું હતું કે, હિન્દુ પરંપરામાં, લગ્ન ફક્ત એક કાનૂની ઔપચારિકતા નથી પરંતુ એક સંસ્કાર છે. તે બે લોકો વચ્ચે એક નવા પરિવારની શરૂઆતનો પાયો પણ છે. તેથી, વ્યક્તિએ તેના મહત્વ અને જવાબદારીઓને સમજ્યા પછી જ આ સંબંધમાં પ્રવેશ કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat High Court Marriage Registration Hindu Marriage Act
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ