બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ભારતની સંરક્ષણ આત્મનિર્ભરતાની ચાવી બની શકે છે ગુજરાત, VGRCમાં બોલ્યા રાજનાથ સિંહ

વડોદરા / ભારતની સંરક્ષણ આત્મનિર્ભરતાની ચાવી બની શકે છે ગુજરાત, VGRCમાં બોલ્યા રાજનાથ સિંહ

Ajitsinh Jadeja

Last Updated: 09:21 AM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોંન્ફરન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ આત્મનિર્ભરતા માટે હજુ પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે.

વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોંન્ફરન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ આત્મનિર્ભરતા માટે હજુ પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારતે છેલ્લા દાયકામાં સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ સંપૂર્ણ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે હજુ પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે.

તેમણે કહ્યું કે ગુજરાત રક્ષા ઉત્પાદન અને ટેકનોલોજીના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવવાની અપાર સંભાવના ધરાવે છે. રાજ્ય તેની ઔદ્યોગિક ક્ષમતા, કુશળ કાર્યબળ અને ઉદ્યોગસાહસિક ભાવના દ્વારા આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

ભારતે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી

રક્ષા પ્રધાન અહીં ચોથા વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના સમાપન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014 માં આશરે ₹46,000 કરોડથી વધીને આશરે ₹1.78 લાખ કરોડ થયું છે, જ્યારે સંરક્ષણ નિકાસ આ જ દરમિયાન આશરે ₹1,000 કરોડથી વધીને આશરે ₹39,000 કરોડ થઈ છે.

સિંહે કહ્યું, "હું આને માત્ર શરૂઆત માનું છું. આપણે હજુ લાંબી મંજીલ કાપવાની છે, અને મને વિશ્વાસ છે કે ગુજરાત સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે."

આત્મનિર્ભર ભારતના ધ્યેયમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા

તેમણે વડોદરામાં ટાટા-એરબસ સંકુલનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતના વધતા મહત્વ પર ભાર મૂક્યો, જ્યાં C-295 પરિવહન વિમાનોનું ઉત્પાદન થાય છે. તેમણે જણાવ્યું કે અદ્યતન સ્વ-સંચાલિત તોપખાના પ્લેટફોર્મ K-9 વજ્રનું પણ ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યું છે, જે સેનાની ફાયરપાવરમાં વધારો કરે છે. તે વિશ્વની સૌથી અદ્યતન સ્વ-સંચાલિત તોપ સિસ્ટમ્સમાંની એક છે.

VTV ADD

આ પણ વાંચોઃ રજૂઆત / વડોદરા MP-MLA સંકલન બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીનો મુદ્દો ગરમાયો

ન્યુઝ એજન્સી અનુસાર રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ વિકસિત ભારતની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. મજબૂત અર્થતંત્ર, ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષા એ મજબૂત રાષ્ટ્રનો પાયો છે. પ્રાદેશિક ઉદ્યોગોએ વિકસિત ભારત તરફની યાત્રામાં ભાગીદાર બનવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Vadodara News Rajnath Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ