બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:52 AM, 1 July 2026
1/6
ઘણા લોકો કોઈ ખાસ કારણ વગર પણ સતત ચિંતા કે તણાવ અનુભવતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કેટલીક દિશાઓ મનની સ્થિતિ પર અસર કરે છે. ખાસ કરીને કેટલીક દિશામાં વધુ સમય પસાર કરવો અથવા ત્યાં બેડરૂમ હોવો માનસિક અસરો પેદા કરી શકે છે. જો આ દિશાઓમાં વાસ્તુદોષ હોય તો ચિંતા, તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધી શકે છે.
2/6
આ દિશામાં વાસ્તુદોષ હોય તો વ્યક્તિ વધુ ચિંતા અને એન્ઝાયટી અનુભવવા લાગે છે. અહીં બેડરૂમ હોય અથવા લાંબા સમય સુધી બેસવામાં આવે તો મનમાં એક જ વાત વારંવાર ફરતી રહે છે. તેના કારણે વ્યક્તિ ઓવરથિંકિંગનો શિકાર બની શકે છે. જો આ દિશા વાસ્તુદોષમુક્ત હોય તો તે માનસિક શાંતિ અને તણાવમાંથી રાહત પણ આપી શકે છે.
3/6
આ દિશામાં વાસ્તુદોષ હોય તો વ્યક્તિ જૂની અને દુઃખદ યાદોમાં ખોવાઈ શકે છે. ઘણી વખત કોઈ વાત યાદ કરીને અચાનક દુઃખી થવું અથવા રડવું પણ જોવા મળે છે. અહીં સતત સૂવાથી ભૂતકાળની ઘટનાઓ વધુ યાદ આવવા લાગે છે. આ દિશામાં રસોડું તેમજ લાલ અને લીલા રંગનો વધુ ઉપયોગ અનુકૂળ માનવામાં આવતો નથી.
4/6
સાઉથ-સાઉથ-ઈસ્ટ અને વેસ્ટ-નોર્થ-વેસ્ટ દિશામાં બાળકોનું અભ્યાસસ્થળ ન બનાવવું જોઈએ. આ દિશાઓમાં વધુ સમય વિતાવવાથી એકાગ્રતા પર અસર થઈ શકે છે. બાળકોમાં ચિંતા અને માનસિક અશાંતિ વધવાની શક્યતા રહે છે. તેથી અભ્યાસ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે અન્ય યોગ્ય દિશા પસંદ કરવી વધુ સારું છે.
5/6
આ દિશાઓમાં રોજ થોડો સમય પસાર કરવો યોગ્ય છે, પરંતુ લાંબા સમય સુધી ન રહેવું જોઈએ. જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો આ દિશામાં બેસીને લેવાનું ટાળવું જોઈએ. મહત્વપૂર્ણ વસ્તુઓ પણ આ દિશાઓમાં રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. સાથે જ અહીં ઘડિયાળ લગાવવાનું ટાળવું અને દિશા મુજબ યોગ્ય રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ