બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વરસાદમાં પાણી ઘરમાં ભરાઈ જાય તો કરો આ 5 કામ, નહીં થાય નુકશાન
Last Updated: 09:34 PM, 23 July 2026
મોનસૂનનો જોરદાર વરસાદ ગરમીમાંથી રાહત તો આપે છે પણ સાથે મોટી મુસીબત પણ લાવે છે. જેમાં અમુક વાર સતત વરસાદથી ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને ઘરની અંદર સુધી પાણી પહોંચી જાય છે. જેનાથી ફર્શ, દીવાલો, લાકડાનું ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ અને ઘરની બીજી વસ્તુઓ ખરાબ થવાનો ખતરો ઊભો થાય છે. આ સિવાય લાંબા સમય સુધી ભેજ રહેવાથી સીલન, ફૂગ અને દુર્ગંધ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં ઘણા લોકો ગભરાઈ જાય છે પણ ગભરાવાને બદલે તરત સમજદારીપૂર્વક પગલાં લેવા જોઈએ. જો સમયસર થોડા સરળ ઉપાય કરવામાં આવે તો મોટા નુકસાનથી બચી શકાય છે. જો તમારા ઘરમાં પણ પાણી ભરાઈ ગયું હોય તો નીચે મુજબના 5 મહત્વના કામ તરત કરી લો.
ADVERTISEMENT
ઘરમાં પાણી ભરાયા બાદ સૌથી પહેલું કામ એ છે કે તેને જલદી બહાર કાઢવું જોઈએ. ઘરની આસપાસની નાળીઓ અને પાણી વહેવાના રસ્તા સાફ કરો. જો નાળી બંધ હોય તો તરત સાફ કરાવો. જ્યાં શક્ય હોય ત્યાં પાણી વહેવા માટે નાનો માર્ગ બનાવી દો જેથી પાણી એક જગ્યાએ ભેગું ન થાય.
ADVERTISEMENT
જો વરસાદનું પાણી બારણા કે બારીના કિનારેથી અંદર આવતું હોય તો તેને સારી રીતે સીલ કરી દો. જેમાં રબર સ્ટ્રીપ, સિલિકોન સીલેન્ટ કે મેટલ સ્ટ્રીપનો ઉપયોગ કરી શકો છો. આથી પાણીનો ઘસારો ઘટશે અને બહારની ભેજ પણ અંદર ઓછો આવશે.
ADVERTISEMENT
જો ઘરમાં વરસાદનું પાણી ભરાય હોય તો ફર્શ પર વોટરપ્રૂફ કોટિંગ કે સીલેન્ટ લગાવડાવો. જ્યાં વધારે પાણી આવે ત્યાં પાણી શોષી લેતા મેટ વિસાવો. આથી ફર્શ ઓછું લપશાસે અને જલદી સુકાઈ જશે.
ADVERTISEMENT
જો વરસાદમાં દીવાલો ભીની થતી હોય તો ફર્નિચરને દીવાલથી અડાડીને ન રાખો.તેની વચ્ચે થોડું અંતર રાખો જેથી ભેજ સીધો ફર્નિચર સુધી ન પહોંચે. જરૂર પડે તો ફર્નિચર નીચે નાના સ્ટેન્ડ કે પેડ મૂકો. વોટરપ્રૂફ કવર પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
દીવાલો પર વોટરપ્રૂફ પેઈન્ટ કે સીલેન્ટ લગાવડાવો. જો ક્યાંકથી પાણી ટપકતું હોય તો તરત રીપેર કરાવો. રૂમમાં હવાની સારી વ્યવસ્થા રાખો જેથી દીવાલો જલદી સુકાઈ જાય. આથી ફૂગ અને દુર્ગંધની સમસ્યા પણ ઘટશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.