બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યા સલમાન ખાન, કહ્યું - 'પેપર લીક ગંભીર વિષય, આંદોલનનું રાજકારણ ન થવું જોઈએ'
Last Updated: 11:36 PM, 22 July 2026
દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને હવે ભારતીય સિનેમા જગતમાંથી મોટું સમર્થન મળી રહ્યું છે. બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો બાદ હવે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને પણ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓને પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT
It was such a peaceful movement, feel so sad that it had to take a violent turn. My heart goes out to the students and their families who were hurt. Paper leak is a very serious issue, and I am glad to know n see that the kids of our country have come together for a better…
— Salman Khan (@BeingSalmanKhan) July 22, 2026
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાને લખ્યું હતું કે, આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું અને તેણે અચાનક હિંસક રૂપ ધારણ કરી લીધું તે અત્યંત દુઃખદ બાબત છે. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો આ ઘટનામાં ઘાયલ થયા છે, તેમના પ્રત્યે મારી પૂરી સંવેદના છે. પેપર લીક થવો એ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણા દેશના બાળકો એક બહેતર શિક્ષણ પ્રણાલી માટે એકજૂથ થયા છે અને તેમના માતાપિતાએ પણ તેમનો સાથ આપ્યો છે.

ADVERTISEMENT
અભિનેતાએ વિદ્યાર્થીઓના સમર્પણ અને મહેનતના વખાણ કરતા આગળ લખ્યું હતું કે, હું વિદ્યાર્થીઓના આ કદમની ખરા દિલથી પ્રશંસા કરું છું. તેમણે લગન, ઈમાનદારી અને સખત મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની સાથે એક શિક્ષિત અને ઉત્તમ ભારત નિર્માણ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. આ આંદોલન કે વિરોધ પ્રદર્શન યોગ્ય માર્ગ છે અને વિદ્યાર્થીઓએ તેને અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચલાવ્યું છે. શિક્ષણ પ્રત્યે પ્રેરિત અને ઉત્સાહિત આ નવી પેઢી ભવિષ્યમાં ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરશે.
ADVERTISEMENT
સલમાન ખાને રાજકીય પક્ષોને અપીલ કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દો માત્ર વિદ્યાર્થીઓ અને દેશની શિક્ષણ વ્યવસ્થા વચ્ચેનો છે, તેથી તેને કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ આપવામાં ન આવે. આ આંદોલનની સફળતાનો શ્રેય માત્ર ને માત્ર દેશના વિદ્યાર્થીઓને જ મળવો જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર પણ વિદ્યાર્થીઓને પૂરો સહયોગ આપશે અને શિક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દેશમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાંધલી, શિક્ષણ પ્રણાલીમાં તાત્કાલિક સુધારા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સોમવારે હજારો વિદ્યાર્થીઓ અને કાર્યકરો દિલ્હીના જંતર-મંતર ખાતે એકત્રિત થયા હતા. પ્રદર્શનકારીઓએ જ્યારે સંસદ ભવન તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ દ્વારા કથિત રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને અશ્રુવાયુના ગોળા છોડવામાં આવ્યા હતા. આ હિંસક અથડામણ માટે પોલીસ અને આંદોલનકારીઓ બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.