બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:59 PM, 23 July 2026
અમેરિકા એક તરફ ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે વાતચીત કરી રહ્યું છે, તો બીજી તરફ તે 'સેક્શન 301' નો ઉપયોગ કરીને ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે અમેરિકાના 'ટ્રેડ એક્ટ'ની કલમ 301 અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ભારતે પોતાની સામેના આરોપોના સંદર્ભમાં સ્પષ્ટતાઓ અને પુરાવા રજૂ કર્યા હતા. તેમ છતાં, અમેરિકાના વેપાર પ્રતિનિધિએ આ દલીલો સ્વીકારી નથી અને હવે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારત પર ટૂંક સમયમાં ટેરિફ લગાવવામાં આવશે.
ADVERTISEMENT
અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમીસન ગ્રીરે સેનેટની ફાઇનાન્સ કમિટીને જાણ કરી છે કે, બળજબરીપૂર્વકના શ્રમ દ્વારા ઉત્પાદિત માલની આયાતના મુદ્દે ભારત સહિતના 60 મુખ્ય વેપારી ભાગીદારો સામે યુએસ ટૂંક સમયમાં 'સેક્શન 301' હેઠળ ટેરિફ (આયાત જકાત) લાદી શકે છે. ગ્રીરએ જણાવ્યું હતું કે, યુએસે તેના ટોચના 60 વેપારી ભાગીદારોની તપાસ કરી હતી કારણ કે તેઓ બળજબરીપૂર્વકના શ્રમ દ્વારા ઉત્પાદિત માલની આયાત પર પ્રતિબંધો અપનાવવામાં અને તેનો અસરકારક રીતે અમલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
આજે થઇ શકે છે અંતિમ ઘોષણા
ADVERTISEMENT
ગ્રીરે જણાવ્યું હતું કે USTR ગુરુવારે આ બાબતે 'સેક્શન 301' હેઠળની તપાસ અંગે અંતિમ પગલાંની જાહેરાત કરશે, જેમાં ટેરિફનો સમાવેશ થઈ શકે છે. ગયા મહિને, USTR કાર્યાલયે આ મુદ્દે 10 ટકા અને 12.5 ટકા સુધીની વધારાની જકાત લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે સૂચિત પગલાં અંગે 1,600થી વધુ પ્રતિભાવો મળ્યા હતા અને એક જાહેર સુનાવણી પણ યોજવામાં આવી હતી, જેમાં 100થી વધુ સાક્ષીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટથી ઝટકો લાગ્યા બાદ શરુ થઇ તપાસ
ગયા ફેબ્રુઆરીમાં યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની કટોકટીની સત્તાઓ હેઠળ લાદવામાં આવેલા 'જવાબી શુલ્ક'ને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે આ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ, વહીવટીતંત્રે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લગાવ્યો હતો. આ પગલાની મુદત શુક્રવારે સમાપ્ત થવાની છે. તેથી જ, ટ્રમ્પનું વહીવટીતંત્ર સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.
ADVERTISEMENT
ભારતે કર્યો છે પુરજોર વિરોધ
અમેરિકી સરકારની આ તપાસનો વિરોધ કરતા ભારતે જણાવ્યું છે કે, આવા મુદ્દાઓ પર દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ ચર્ચા કરી શકાય છે, જેના સંદર્ભમાં બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમેરિકા ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને તેની નિકાસ માટેનું એક મુખ્ય બજાર છે. વર્ષ 2025માં બંને દેશો વચ્ચેની ચીજવસ્તુઓનો વેપાર અંદાજે 141 અબજ ડોલરનો હતો, જેમાં ભારતની નિકાસ 87.3 અબજ ડોલરની રહી હતી. અમેરિકાના એક સિનેટરે ભારતમાં અમેરિકન સોડા એશ ઉત્પાદકો માટે બજારની ઉપલબ્ધતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં ગ્રીરે જણાવ્યું હતું કે, તેઓ ભારતીય અધિકારીઓ સમક્ષ આ બાબત રજૂ કરશે અને અમેરિકન ઉત્પાદકો સાથે યોગ્ય વ્યવહાર સુનિશ્ચિત કરશે. ભારતે 16 માર્ચ, 2026 ના રોજ સોડા એશની આયાત અંગે એન્ટી-ડમ્પિંગ તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Stock Market Today: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ તૂટ્યો તો નિફ્ટી 24,000ની નીચે સરકી
રોકાય શકે છે ભારત-અમેરિકા વ્યાપાર ડીલ
ADVERTISEMENT
અમેરિકાના આ પગલાએ ભારત સાથે ચાલી રહેલા વેપાર કરાર પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. ભારતે 'સેક્શન 301' હેઠળ કરવામાં આવેલા આક્ષેપોનો સતત વિરોધ કર્યો છે. જોકે ભારતે તાજેતરમાં જ આ કાયદાના સંદર્ભમાં કરવામાં આવેલા આંતરિક ફેરફારોની વિગતો પૂરી પાડી હતી, તેમ છતાં અમેરિકાએ આ દલીલોને ફગાવી દીધી છે અને હવે તે ટેરિફ લાદવા માટે સંપૂર્ણપણે મક્કમ જણાય છે. આ જ પગલાને કારણે ભારતે અગાઉ વેપાર કરાર અટકાવી દીધો હતો, અને અમેરિકાના વલણ પરથી સંકેત મળે છે કે આ કરાર હજુ પણ જોખમમાં છે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.