IAS ઓફિસર અવનીશ શરણે 21 ઓગસ્ટે એક તસવીર શેર કરી જેમાં તેમણે લખ્યું કે 'આ માનો એક દીકરો અધિકારી, બીજો નેતા અને પૌત્રી IAS ઓફિસર છે છતાં મુક્તસરમાં રહેતી આ મા મજબૂર હતી.'
સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે એક માની વ્યથા
પંજાબમાંથી મળી આવેલ મહિલાની દયનીય સ્થિતિ
દીકરાને સોંપ્યા બાદ હોસ્પિટલમાં મોત
પંજાબના બઠિન્ડાથી હૃદય ચિરાઈ જાય તેવી ઘટના સામે આવી છે જ્યા અમુક લોકોએ સડક કિનારે ખાલી મેદાનમાં 80 વર્ષની એક વૃદ્ધ મહિલા મળી આવી. મહિલાન શરીરમાં જીવડા પડી ગયા હતા. NGO અને પોલીસની મદદથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે પરિવાર વિશે તપાસ કરવામાં આવી તો તે જાણીને બધા હેરાન થઇ ગયા.
एक बेटा अधिकारी, दूसरा नेता, पोती पीसीएस अफसर, मुक्तसर में मां ऐसे रहने को थी मजबूर!!
क्या फ़ायदा ऐसे जीवन का.😡😌
આ મહિલા ખૂબ સારા પરિવારની હતી. તેમનો દીકરો એક સરકારી ઓફિસર અને બીજો એક દીકરો રાજનેતા છે. વૃદ્ધ મહિલાની જાણકારી મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી અને મહિલાની હાલત જોતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લોકોએ કહ્યું કે મહિલાએ સડક કિનારે જ ઈંટની ઝૂંપડી બનાવી હતી અને દયનીય પરિસ્થિતિ જોઇને કોઈના પણ આંખમાં આંસુ આવી જાય.
અહિયાં સુધીની પૌત્રી પણ એક ક્લાસ વન અધિકારી છે. સોશ્યલ મીડિયામાં તેમના વિશે જાણકારી મળ્યા બાદ એક દીકરો તેમને ફરીદકોટ લઇ ગયો પણ ત્યાં તેમની મોત થઇ ગઈ. જે બાદ પરિવાર ગુપચુપ રીતે મહિલાનું અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યું.
સોશ્યલ મીડિયા પર લોકો આ ઘટનાથી ખૂબ દ્રવિત થઇ ગયા છે. લોકો દેશમાં આવા માનસિકતા ધરાવતા લોકો પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે તે વિસ્તારના લોકોમાં પણ પરિવાર પ્રત્યે ગુસ્સો છે.