બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Posters in support of Rupala in Rajkot and against Rupala in Surendranagar

લોકસભા ચૂંટણી 2024 / 'રૂપાલા હટાવો - સ્વમાન બચાવો' રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં તો સુરેન્દ્રનગરમાં વિરોધમાં લાગ્યા પોસ્ટર

Vishal Khamar

Last Updated: 10:23 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર પરશોતમ રૂપાલાના વિવાદ મામલે ભાજપ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં લોકસભાનાં ઉમેદવારનાં સમર્થનમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરેન્દ્ર નગરમાં પરશોત્તમ રૂપાલાનાં વિરોધમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર સામે વિવાદ શાંત થઈ રહ્યો નથી. ભાજપ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે છે અડીખમ સૂત્ર સાથેનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શહેરનાં બહુમાળી ચોક નજીક પણ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાંથી ક્ષત્રિય સમાજની રેલી યોજાય તે પહેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે પોસ્ટરને લઈ ફરી એક વખત ચર્ચાનો દોર શરૂ થયો છે. 

લીંબડીમાં રૂપાલાનાં વિરોધમાં લાગ્યા પોસ્ટર
રાજકોટમાં રૂપાલાનાં સમર્થનમાં તો સુરેન્દ્રનગરમાં વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. લીંબડીનાં અનેક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. જેમાં બોયકોટ રૂપાલાનાં લખાણ સાથે પણ બેનરો લગાવી ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો.

પ્રાંત અધિકારીને રાજપૂત સમાજ ટ્રસ્ટે આવેદન આપ્યું

છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પરષોત્તમ રૂપાલાને લઈ રાજપૂત સમાજમાં ભારે વિરોધના સૂર ઉઠ્યો  છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યાં છે. રાજપૂત સમાજના અગ્રણી રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગ છે. ત્યારે શુક્રવારે સુરતના  બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વધુ વાંચોઃ 'પહેલા ચૂંટણી આવે તો અર્થતંત્ર ક્યાં જશે તેવા પ્રશ્નો હતા પણ હવે તો..': CM ભૂપેન્દ્ર પટેલ

શું બોલ્યા હતા પરષોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ