બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કરો રોજનું 100 રૂપિયા સેવિંગ, ને છેલ્લે એકત્ર કરો રૂ. 5,00,000નું ફંડ
Last Updated: 03:10 PM, 5 July 2026
શેરબજારના જોખમથી દૂર રહેવા માંગતા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના આકર્ષક વિકલ્પ બની રહી છે. આ યોજનામાં માત્ર ₹100થી રોકાણ શરૂ કરી શકાય છે. હાલ આ સ્કીમ પર 6.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સાથે જ જરૂર પડે ત્યારે લોનની સુવિધા અને મેચ્યોરિટી બાદ ખાતું લંબાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
જો તમે દર મહિને ₹3,000 એટલે કે રોજના આશરે ₹100 બચાવીને પોસ્ટ ઓફિસ RDમાં રોકાણ કરો અને આ રોકાણ સતત 10 વર્ષ સુધી ચાલુ રાખો, તો મોટું ફંડ તૈયાર થઈ શકે છે. 10 વર્ષ દરમિયાન તમારી કુલ જમા રકમ ₹3.60 લાખ થશે. હાલની 6.7 ટકા વ્યાજદર મુજબ તમને આશરે ₹1.52 લાખ જેટલું વ્યાજ મળશે. એટલે કે મેચ્યોરિટી સમયે કુલ ₹5.12 લાખથી વધુની રકમ હાથમાં આવશે.
ADVERTISEMENT
આ સ્કીમ સામાન્ય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. કોઈપણ ભારતીય નાગરિક સિંગલ અથવા જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. ન્યૂનતમ રોકાણ માત્ર ₹100થી શરૂ થાય છે, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. માતા-પિતા બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે તેમના નામે સીધું ખાતું ખોલાવવાની સુવિધા છે.
ADVERTISEMENT
RD ખાતું ખોલ્યાના એક વર્ષ બાદ અને સતત 12 હપ્તા ભર્યા પછી જમાકાર પોતાની કુલ જમા રકમના 50 ટકા સુધી લોન મેળવી શકે છે. આ લોન પર RDના વ્યાજદર કરતાં માત્ર 2 ટકા વધુ વ્યાજ ચૂકવવું પડે છે. લોનની રકમ એકસાથે અથવા હપ્તામાં પરત કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Aadhaar યુઝર્સ માટે UIDAIનો મોટો નિર્ણય, હવે 31 ડિસેમ્બર સુધી શરૂ રહેશે આ સર્વિસ
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ RDની મૂળ અવધિ 5 વર્ષની હોય છે. જોકે, ખાતાધારક ઇચ્છે તો મેચ્યોરિટી બાદ વધુ 5 વર્ષ માટે ખાતું લંબાવી શકે છે. જો કોઈ કારણસર ખાતું સમય પહેલાં બંધ કરવું હોય તો 3 વર્ષ બાદ પ્રી-મેચ્યોર ક્લોઝરની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આવી સ્થિતિમાં RDના બદલે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ મુજબ વ્યાજ મળશે.
ADVERTISEMENT
બજારના જોખમ વિના નિશ્ચિત વળતર ઇચ્છતા લોકો માટે પોસ્ટ ઓફિસ RD યોજના લાંબા ગાળાની બચત માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. નાની બચતથી મોટી મૂડી ઉભી કરવાની આ સરળ અને વિશ્વસનીય રીત છે.
Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.