ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:32 AM, 28 August 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
વતનમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે ભુજમાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે ભુજ માટે ખાસ દિવસ છે કારણ કે 2001માં આવેલ ભયાનક ભૂકંપની સ્મૃતિ આજે ફરી જાગ્રત થઈ ગઈ. પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો તથા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભવ્ય રોડ શો
PM મોદી જેવા કચ્છ પહોંચ્યા રસ્તાની બંને તરફ ભારે સંખ્યામાં ભીડ ભેગી થઈ જતાં તેઓ પોતાને રોકી ન શક્યા અને ગાડીમાંથી બહાર ઉતર્યા અને રોડ શો શરૂ થઈ ગયો. પીએમના કાર્યક્રમમાં રોડ શો સામેલ ન હતો પરંતુ ભીડના કારણે ભુજની અંદર રોડ શો જેવા દ્રશ્યો જોયા મળ્યા હતા. લોકો હાથમાં તીરંગા લઈને પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો