બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
VTV / PM Modi will visit North-East amidst tension with China
Malay
Last Updated: 12:41 PM, 17 December 2022
ADVERTISEMENT
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્થ ઈસ્ટની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત રવિવારે (18 ડિસેમ્બર) છે. મેઘાલયના શિલાંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમમાં PM મોદી સામેલ થશે. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા, રાજ્યપાલ અને તમામ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે.
PM મોદીનો નોર્થ-ઈસ્ટનો પ્રવાસ ખૂબ જ મહત્વનો
નોર્થ ઈસ્ટ બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડી પણ સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથેના તણાવની વચ્ચે PM મોદીનો નોર્થ-ઈસ્ટનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદી મેઘાલયની સાથે ત્રિપુરા રાજ્યની પણ મુલાકાત લેશે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ બુધવારે (14 ડિસેમ્બર) આ અંગે માહિતી આપી હતી.
ADVERTISEMENT
ત્રિપુરામાં પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપશે PM મોદી
બુધવાર (14 ડિસેમ્બર)એ અગરતલાના પ્રજ્ઞા ભવનમાં એક ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પીએમ મોદી 18 ડિસેમ્બરે બપોરે 2.30 વાગ્યે ત્રિપુરાની મુલાકાતે આવશે. તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. સાથે જ ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરશે અને ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ત્રિપુરાની યાત્રા પહેલા PM મોદી મેઘાલયના શિલોંગમાં એક બેઠકમાં સામેલ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.