બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:17 PM, 20 September 2025
ગુજરાતના લાખો મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. આ સુપરફાસ્ટ ટ્રેન સુરત-બ્રહ્મપુર ( ઓડિસા) વચ્ચે દોડશે. આ ટ્રેન શરૂ થવાથીસુરત અને ઓડિશા વચ્ચેની મુસાફરી હવે વધુ સરળ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ઓડિશાના પ્રવાસ દરમિયાન આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને સુરત રવાના કરશે. આ ટ્રેનનું સત્તાવાર સમયપત્રક હજુ જાહેર કરાયું નથી.. ટુંક સમયમાં રેલવે મંત્રાલય દ્વારા તેનું સમયપત્રક જાહેર કરાશે, આ ટ્રેન મુસાફરોને સસ્તી અને આરામદાયક મુસાફરીનો વધુ એક વિકલ્પ પુરો પાડશે
ADVERTISEMENT
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ખાસિયત
-આ એક સુપરફાસ્ટ ટ્રેન છે જેની મહત્તમ ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેન ‘પુશ-પુલ’ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં ટ્રેનના બંને છેડે એન્જિન હોય છે.
ADVERTISEMENT
-આ ટ્રેન નોન-એસી છે. તેમાં મુખ્યત્વે સ્લીપર અને જનરલ (અનરિઝર્વ્ડ) કોચ હોય છે. આ ટ્રેનો લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવી છે.
-આ ટ્રેન સામાન્ય લોકો અને લાંબા અંતરની મુસાફરી કરતા મજૂરોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનનો મુખ્ય હેતુ સસ્તા અને આરામદાયક પ્રવાસનો વિકલ્પ પૂરો પાડવાનો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં PM મોદી, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન વચ્ચે શું ફરક છે ?
ADVERTISEMENT
- વંદે ભારત એસી છે જ્યારે અમૃત ભારત નોન-એસી છે.
-વંદે ભારતનું ભાડું વધુ હોય છે, જ્યારે અમૃત ભારતનું ભાડું ઓછું હોય છે.
ADVERTISEMENT
-વંદે ભારત ટૂંકા અને મધ્યમ અંતર માટે છે, જ્યારે અમૃત ભારત લાંબા અંતર માટે છે.
-વંદે ભારત એન્જિન વગરની ટ્રેનસેટ છે, જ્યારે અમૃત ભારતમાં ‘પુશ-પુલ’ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.