બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વીકેન્ડમાં નિનાઈ અને ઝરવાણી ધોધની મુલાકાત માટે અનેક લોકો આવે છે અને આ જગ્યાનો આનંદ માણે છે. વિદેશના લોકો પણ અહીં આવીને તેનો લાભ લે છે. દર વર્ષે 2-3 લાખ લોતો ધોધની મુલાકાત લે છે. નર્મદા જિલ્લાના સમાહર્તા કાર્યાલય તરફથી સરદાર સરોવર બંધ અને તેની આસપાસના આદિવાસી પ્રદેશમાં જોવાલાયક સ્થળોને પર્યાવરણીય પ્રવાસન સ્થળોની જેમ જાણીતા બનાવવાન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
2 ધોધના કારણે વધે છે આ જગ્યાની સુંદરતા
નિનાઈ ધોધ ગુજરાતના નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના કોકટી ગામથી 4 કિમી દૂર છે. અહીં પર્વતમાળાના સુંદર દ્રશ્યો અને સાથે વહેતી નદીઓ અને ઝરણાંથી મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં નજીકમાં બીજો એક ઝરવાણી ધોધ પણ છે. ઘનઘોર વનની વચ્ચે આવેલો નિનાઈ ધોધ અપ્રતિમ સૌંદર્ય ધરાવે છે.
ADVERTISEMENT
સાવધાની સાથે માણો મજા
જો તમે 2 દિવસનો પ્લાન કરી રહ્યા હોવ તો નિનાઈ ધોધ તમારા માટે બેસ્ટ પ્લેસ છે. 150 ફૂટ ઉપરથી વહેતું પાણી તમને શાંત કરે છે. આ સાથે અહીંના જંગલોના કારણે રચાતું સુંદર દ્રશ્ય મનને શાંતિ આપે છે. પ્રશાસન પ્રવાસીઓને ધોધમાં ન નહાવાની સલાહ આપે છે.
ADVERTISEMENT
ચોમાસામાં સર્જાય છે ખાસ દ્રશ્યો
ADVERTISEMENT
રજામાં પ્રવાસીઓને અહીંનું સૌંદર્ય આનંદ આપે છે. આ ધોધ જોવા ગુજરાત અને વિદેશના લોકો પણ આવે છે. નિનાઈ હોય કે ઝરવાણી બંને સુધી પહોંચવાનો રસ્તો કાચો અને કઠિન છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ બંને ધોધની મુલાકાત રોમાંચક બની રહે છે.
આ રીતે પહોંચી શકાશે નિનાઈ ધોધ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.