બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / PK Laheri's big hand in accomplishing the mission of bringing Amrish Der to BJP
Last Updated: 10:35 PM, 6 March 2024
હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જઇ રહેલા નેતાઓનો મુદ્દો ચર્ચામાં છે.. અંબરીષ ડેર અને અર્જૂન મોઢવાડિયા પછી ભૂપત ભાયાણીએ પણ કોંગ્રેસને રામરામ કહી દીધા છે.. પરંતુ લોકસભા પહેલા ભાજપના ઓપરેશન લોટ્સમાં અંબરીષ ડેરને મનાવવામાં એક વ્યક્તિની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે.. અને તે છે પી.કે.લહેરી.. તેઓ સી.આર.પાટીલ સાથે ડેરના ઘરે પણ જોવા મળ્યા હતા..
ADVERTISEMENT
પી.કે.લહેરી સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા
અંબરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો યુવા ચહેરો ગણાતા હતા.. તો અર્જૂન મોઢવાડિયા ધારાસભ્યની સાથે-સાથે દિગ્ગજ નેતા.. પરંતુ બંનેએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો.. જો કે હાલ ચર્ચા અંબરીષ ડેરની કરવી છે.. નિષ્ણાતોનાં મતે ડેરને ભાજપમાં લાવવાનું કામ પી.કે.લહેરીએ કર્યુ છે.. જે સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા.. અને તસવીરોમાં માયાભાઈ આહીરની સાથે સોફા પર બેઠા છે.. અને આજ કારણે નિષ્ણાતોનું માનવું છે કે, અંબરીષ ડેરનું ઓપરેશન દિલ્લીથી પાર પાડવામાં આવ્યું છે.. અને તેમાં પી.કે.લહેરીની મુખ્ય ભૂમિકા છે..
ADVERTISEMENT
પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે
ADVERTISEMENT
તો આપને જણાવીએ દઈએ કે, પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે.. સિવિલ સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. તેમણે ભારત સરકારમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી તરીકે પણ કામ કર્યું છે. તેમણે ગુજરાતના પાંચ મુખ્ય પ્રધાનો સાથે તેમના મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે.. અને આજ કારણે તેઓ પ્રધાનમંત્રી મોદીના ખુબ વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે.. અને આ કારણે જ તેમણે ડેરને ભાજપમાં લાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવ્યાનું માનવામાં આવી રહ્યું છે..
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.