બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / Politics / PK Laheri's big hand in accomplishing the mission of bringing Amrish Der to BJP
Vishal Dave
Last Updated: 10:35 PM, 6 March 2024
હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જઇ રહેલા નેતાઓનો મુદ્દો ચર્ચામાં છે.. અંબરીષ ડેર અને અર્જૂન મોઢવાડિયા પછી ભૂપત ભાયાણીએ પણ કોંગ્રેસને રામરામ કહી દીધા છે.. પરંતુ લોકસભા પહેલા ભાજપના ઓપરેશન લોટ્સમાં અંબરીષ ડેરને મનાવવામાં એક વ્યક્તિની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે.. અને તે છે પી.કે.લહેરી.. તેઓ સી.આર.પાટીલ સાથે ડેરના ઘરે પણ જોવા મળ્યા હતા..
પી.કે.લહેરી સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા
અંબરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો યુવા ચહેરો ગણાતા હતા.. તો અર્જૂન મોઢવાડિયા ધારાસભ્યની સાથે-સાથે દિગ્ગજ નેતા.. પરંતુ બંનેએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો.. જો કે હાલ ચર્ચા અંબરીષ ડેરની કરવી છે.. નિષ્ણાતોનાં મતે ડેરને ભાજપમાં લાવવાનું કામ પી.કે.લહેરીએ કર્યુ છે.. જે સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા.. અને તસવીરોમાં માયાભાઈ આહીરની સાથે સોફા પર બેઠા છે.. અને આજ કારણે નિષ્ણાતોનું માનવું છે કે, અંબરીષ ડેરનું ઓપરેશન દિલ્લીથી પાર પાડવામાં આવ્યું છે.. અને તેમાં પી.કે.લહેરીની મુખ્ય ભૂમિકા છે..
પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે
તો આપને જણાવીએ દઈએ કે, પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે.. સિવિલ સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. તેમણે ભારત સરકારમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી તરીકે પણ કામ કર્યું છે. તેમણે ગુજરાતના પાંચ મુખ્ય પ્રધાનો સાથે તેમના મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે.. અને આજ કારણે તેઓ પ્રધાનમંત્રી મોદીના ખુબ વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે.. અને આ કારણે જ તેમણે ડેરને ભાજપમાં લાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવ્યાનું માનવામાં આવી રહ્યું છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો