બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NPS, UPS અને OPS વચ્ચે શું તફાવત? જાણો કઈ પેન્શન સ્કીમમાં સૌથી વધુ ફાયદો

તમારા કામનું / NPS, UPS અને OPS વચ્ચે શું તફાવત? જાણો કઈ પેન્શન સ્કીમમાં સૌથી વધુ ફાયદો

Last Updated: 08:21 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pension Schemes : હાલ ભારતમાં નવા સરકારી કર્મચારીઓને NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ પેન્શન મળે છે. જ્યારે 22 ડિસેમ્બર 2003 પહેલા ભરતી થયેલા કેન્દ્રીય કર્મચારીઓને OPS એટલે કે જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન મળે છે. હવે જાણો શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ ?

Pension Schemes : નિવૃત્તિ આયોજન એ ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય છે. યોગ્ય આયોજન ભવિષ્યની ઘણી સમસ્યાઓને હળવી કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાની નોકરી દરમિયાન પેન્શનનું આયોજન કરે છે. ભલે તે સરકારી કર્મચારી હોય. હાલમાં ભારતમાં નવા સરકારી કર્મચારીઓને NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ પેન્શન મળે છે. જ્યારે 22 ડિસેમ્બર 2003 પહેલા ભરતી થયેલા કેન્દ્રીય કર્મચારીઓને OPS એટલે કે જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન મળે છે. 1 એપ્રિલ, 2025 પછી દેશના કર્મચારીઓ જો તેઓ ઈચ્છે તો યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ પેન્શન પણ લઈ શકે છે.

NPS, UPS અને OPS વચ્ચે શું તફાવત છે?

યુનિફાઇડ પેન્શન યોજના (UPS) આ વર્ષે 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને UPS હેઠળ નિશ્ચિત પેન્શન આપવામાં આવશે. જે છેલ્લા 12 મહિનાના તેમના સરેરાશ મૂળ પગારના 50% હશે. આ પેન્શન મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 25 વર્ષ સેવા આપવી પડશે. જો કર્મચારીનું મૃત્યુ થાય. તો તેના પરિવારને કર્મચારીના પેન્શનનો 60% ભાગ મળશે. આ ઉપરાંત જેઓ 10 વર્ષ સુધી કામ કરે છે. તેમને ઓછામાં ઓછા 10,000 રૂપિયાનું પેન્શન પણ મળશે. આમાં નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન ફુગાવા અનુસાર વધતું રહેશે. આ પેન્શન યોજના હેઠળ, સરકાર ૧૮.૪ ટકા ફાળો આપશે. જ્યારે કર્મચારીઓએ તેમના મૂળ પગાર અને ડીએના 10% એકસાથે ફાળો આપવાનો રહેશે. આ યોગદાનના આધારે, UPS હેઠળ પેન્શન આપવામાં આવશે.

આ તરફ જો હવે આપણે NPS યોજના વિશે વાત કરીએ તો ખાનગીથી લઈને સરકારી કર્મચારી સુધી કોઈપણ તેનો લાભ લઈ શકે છે. NPSમાં પગારના 10 ટકા કાપવામાં આવે છે. NPS એ શેરબજાર સાથે જોડાયેલી યોજના છે. આમાં યોગદાન આપીને નિવૃત્તિ સમયે 60% સુધીની રકમ એકસાથે મળે છે અને બાકીની 40% રકમ વાર્ષિકી તરીકે આપવામાં આવે છે.

આ સાથે જો આપણે OPS વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીના છેલ્લા મૂળ પગાર અને સેવાના વર્ષોના આધારે OPSમાં ગેરંટીકૃત પેન્શન આપવામાં આવે છે. ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કામ કરનારા કર્મચારીઓ OPS મેળવવા માટે પાત્ર છે. આમાં મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે. કર્મચારીઓએ આમાં કોઈ યોગદાન આપવાની જરૂર નથી. તેમજ તેમની સેવા દરમિયાન તેમના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નથી. આમાં GPF સુવિધા પણ ઉપલબ્ધ છે. જોકે 22 ડિસેમ્બર 2003 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ જ આ લાભ મેળવી શકશે.

વધુ વાંચો : હવેથી ઓનલાઇન શોપિંગ પર આપવા પડશે એક્સ્ટ્રા રૂ. 49, કયા ગ્રાહકોને થશે સીધી અસર?

કઈ યોજનામાં વધુ ફાયદા ?

જો કોઈ સરકારી કર્મચારી જૂની પેન્શન યોજના એટલે કે OPS હેઠળ પેન્શન મેળવવા માટે પાત્ર હોય. તો આ તેના માટે શ્રેષ્ઠ OPS છે. કારણ કે તેમાં વધુ ફાયદો છે. સરકારી કર્મચારીઓ ઉપરાંત, ખાનગી કર્મચારીઓ પણ NPSમાં અરજી કરી શકે છે. આમાં કોઈ ગેરંટીકૃત પેન્શન નથી પરંતુ રોકાણના આધારે વળતર મળે છે. જો આપણે UPS વિશે વાત કરીએ તો, સરકાર દ્વારા પણ ફાળો આપવામાં આવે છે. તેનો અર્થ એ કે, OPS પછી બીજી શ્રેષ્ઠ પેન્શન યોજના UPS છે. કર્મચારીઓ તેમની જરૂરિયાતોના આધારે ગણતરી કરીને કોઈપણ પેન્શન યોજના પસંદ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pension Scheme Retirement Retirement Planning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ