વડોદરા જિલ્લાના વડીવાડીમાં ગાયના હુમલાથી થયેલ બાઈક સવારના મોતના મામલે પોલીસે ગાયના માલિકની ધરપકડ કરી છે અને ગાયના માલિક સામે બેદરકારી દાખવવાનો ગુન્હો નોંધ્યો છે.
હાલમાં જ થોડા દિવસો પહેલા સુભાનપુરા સ્લમ કવોટર્સમાં રહેતા સોહેલ ઠાકોરનું વડીવાડી ફાયર સ્ટેશન નજીક ગાય વચ્ચે આવતા ગાયનું શિંગડુ યુવકના છાતીમાં ઘુસી જતાથી ગાય અને યુવક બંન્નેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેથી આ મામલે ગોરવા પોલીસે ગાયના માલિકની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેના કારણે અકસ્માતોની સંખ્યમાં પણ વધારો થયો છે. ગાયના અકસ્માતથી મૃત્યુ થવાનો આ બીજો કિસ્સો છે. ત્યારે આ પ્રકારના પગલાથી માલિકો પણ પોતાના રખડતા ઢોરની સમસ્યા પણ થોડા અંશે અટકશે.