ભાવનગરમાં સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઝાડા ઉલ્ટી અને મેલેરીયા જેવા રોગોએ માથુ ઉચક્યું છે. જેના લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.
ચોમાસાના લીધે શહેરમાં રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસમાં ગત વર્ષ કરતા આ વર્ષે સતત વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય અધિકારી એચ.એફ.પટેલ જણાવ્યું હતું કે ચોમાસાના દિવસોમાં વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે.
જ્યારે સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હાર્દિક નાથાણી અનુસાર શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજના 700થી વધુ ઓપીડીના કેસો આવે છે. જયારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે પાણી જન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. જોકે તંત્રે આ બાબતે ધીરે ધીરે સજાગતા દાખવી છે.