પાટણ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે રાષ્ટ્રીય કૃષિ બજાર દ્વારા ઓન લાઇન બજારનું વડા પ્રધાન નરેદ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે કારણ કે હવે દેશી પદ્ધતિથી વેચાણના બદલે ઓનલાઇન વેચાવા થશે.
વડા પ્રધાન નરેદ્ર મોદી ઈ - માર્કેટ નેસનલ એગ્રીકલર માર્કેટ 'પોટલ નું લોન્ચીંગ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં 8 રાજ્યો માંથી 21 બજાર સમિતિઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતની 3 સમિતિઓની પસંદગી કરવામાં આવી છે.
જેમાં પાટણનો સમાવેશ થતા પાટણ જીલ્લાનાં ખેડૂતોને હવે ઈ-માર્કેટથી તેઓ પોતાનો માલ વહેંચી શકે છે અને સ્પર્ધાત્મક ખરીદી થતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહશે. બજાર વિસ્તારનો વ્યાપ વધતા ઇજારા સાહીનો અંત આવશે સારી ગુણવત્તા વાળા માલની નિકાસને પ્રોત્સાહન મળશે.