ધોરણ-1માં શાળાપ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. રાજ્યમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે 31મી ઓગસ્ટ 2013 સુધીમાં વિદ્યાર્થીની ઉંમર પાંચ વર્ષ હોવી જોઈએ. પહેલા ધોરણમાં પ્રવેશની ઊંમરના વિવાદ મામલે ગુજરાત સરકારે આ મતલબનું હાઈકોર્ટમાં સોગંદનામુ કર્યું છે. ગઈકાલે રાજ્ય સરકારે નવા નિયમ અંગે પુનઃવિચારણાનો સમય માગ્યો હતો. અને રાજ્ય સરકારે આજે હાઈકોર્ટમાં સોગંદનામુ કર્યું છે. જેમાં ટાંકવામાં આવ્યું છે કે આ નવો નિયમ 2014થી અમલી બનશે. પહેલા ધોરણની શાળા પ્રવેશના નિયમમાં કરાયેલા ફેરફાર અંગે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.જેમાં દલીલ કરાઈ હતી કે સરકારે વયમર્યાદાના નિયમોમાં ફેરફાર કરીને હજારો ભુલકાઓના ભવિષ્ય સાથે ચેડા થાય તેવી પરિસ્થિતિ ઉભી કરી છે..આને ધ્યાનમાં લઈ સરકારે આ અંગે પુનઃવિચાર કરવા જણાવ્યુ છે.