દેશમાં વધી રહેલી નકલી ચલણી નોટોની સમસ્યાને જોતા ભારતીય રિઝર્વ બેન્કે કેટલાક દિવસ પહેલા ખાસ સૂચના બહાર પાડી હતી. કેન્દ્રીય બેન્કોને પાછલા કેટલાક દિવસોથી કેટલીક ખાસ સીરીઝની નકલી નોટો બજારમાં ફરતી થઈ હોવાની જાણ થઈ હતી. જેને ધ્યાનમાં રાખતા મોટા ભાગની સરકારી બેન્કોએ આ સંબંધી સૂચના પોતાની બેન્કોમાં લગાડેલી જાહેર નોટિસથી પ્રચારપ્રસાર કરવામાં આવી રહ્યો છે.
બેન્કોમાં ગ્રાહકો માટે નોટિસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે "ભારતીય રિઝર્વ બેન્કના નવા સરક્યુલર પ્રમાણે 1000/એક હજાર રૂપિયાની નોટની સીરિઝ સંખ્યા 2AQ અને 8ACની નોટ કૃપા કરીને સ્વીકારશો નહિ. લગભગ 2 કોરડ નકલી નોટ જેનું મુલ્ય 2000 કરોડ રૂપિયા છે ભારતમાં આવી ગઈ છે. કૃપા કરીને આને વધારેથી વધારે લોકો સુધી શેર કરીને લોકો અને મિત્રો સુધી પહોંચાડવામાં આવે."
આરબીઆઈ પ્રમાણે પાછલા વર્ષ દરમિયાન પકડવામાં આવેલી નકલી કરન્સી નોટની સંખ્યા 20 ટકા સુધી વધી ગઈ છે. દેશમાં સૌથી વધુ 1000 અને 500ની કરન્સી વાળી નોટ છે જે પાકિસ્તાન નેપાલ અને બાંગ્લાદેશના માધ્યમથી ભારતમાં પહોંચાડવામાં આવે છે. નકલી નોટને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન બહુ પહેલથી કરવામાં આવી રહ્યો છે. એક આંકડા પ્રમાણે પકાડી જતી 95 ટકો નોટો બન્કો દ્વારા પકડવામાં આવે છે.