રિલાયન્સ જીયો અને ટેલિફોન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય કંપનીઓ વચ્ચેનો વિવાદ શાંત પડવાને બદલે દિવસે દિવસે વકરી રહ્યો છે. આ કંપનીઓમાં ઇન્ટરનેટ કનેક્શનનો મુદ્દો હજી એમનો એમ જ છે ત્યાં તો રિલાયન્સ જીઓએ ભારતી એયરટેલ આઇડિયા સેલ્યુલર અને વોડાફોન પર આરોપ લગાડ્યો છે કે તેઓ ગ્રાહકોને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) રિક્વેસ્ટ રદ્દ કરી રહી છે.
જીઓનું કહેવું છે કે આ કંપનીઓના આ ગ્રાહકો જીઓની સેવા લેવા ચાહે છે પરંતુ કંપનીઓ એમએનપી કરવામાં સહકાર આપતી નથી. રિલાયન્સ જીઓએ આ સંદર્ભે દૂરસંચાર નિયામક ટ્રાઈને પત્ર લખ્યો છે. જણાવેલી કંપનીઓએ આ બાબતે હાલ કંઈ જણાવ્યું નથી. જોકે વોડાફોનના પ્રવક્તા એ જણાવ્યું હતું કે એમએનપીનો મુદ્દો ટ્રાઈ સાથેની બેઠકમાં હલ કરાયો હતો.