રાજકોટને વધુ 2 IPL મેચ મળી શકે તેવી પ્રબળ શકયતા છે. કેમ કે પાણીના સંકટ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે 30 એપ્રિલ બાદની આઈપીએલની તમામ મેચને મહારાષ્ટ્રની બહાર શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્ર હાલ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે જેથી બોમ્બે હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ આદેશથી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી 13 મેચ પર પ્રભાવ પડશે.
તેમજ ટુર્નામેન્ટની ફાઈનલ પણ મહારાષ્ટ્રમાં આયોજિત નહિ કરી શકાય અને તેનો લાભ રાજકોટને મળી શકે છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં IPLની 5 મેચ નક્કી થયેલી છે અને હવે વધુ 2 મેચ મળે તેવી શકયતા છે.