સ્માર્ટ ફોનનું ચાર્જિંગ ખૂબ જ જલદી પૂરું થઇ જવું અને તેને ચાર્જ કરવામાં ઘણો બધો સમય લાગવો તે હવે ભૂતકાળની વાત બની ગઇ છે. વિજ્ઞાનીની ટીમે આ માટે લિથિયમ આયન બેટરીની નવી ડિઝાઇન તૈયાર કરી છે. આ ડિઝાઇનને વિકસાવનારી ટીમમાં ઘણા ભારતીય વિજ્ઞાનીકો પણ સામેલ છે.
બેટરીમાં રહેલું લિથિયમ આયન ચાર્જિંગ ક્ષમતામાં કરે છે વધારો
આ ડિઝાઇનને વિકસાવનારી ટીમમાં ઘણા ભારતીય વિજ્ઞાનીકો પણ સામેલ
બેટરી (Battery) માં એક જાળ જેવી સંરચના હોય છે, જેને નેનો ચેન કહેવાય છે. તે બેટરીમાં લિથિયમ આયન (lithium ion) ની ચાર્જિંગ ક્ષમતાને વધારે છે. તેનાથી ચાર્જિંગના સમયને ઘટાડી શકાય છે. જર્નલ એસીએસમાં આ નેનો મટીરિયલની જાણકારી અપાઇ છે. તેના જણાવ્યા મુજબ નેનો મટીરિયલ અર્ધ ધાતુના ગુણોનો ઉપયોગ કરે છે, જેનાથી લિથિયમ આયનોને સંગ્રહિત કરવાની શક્યતા વધી જાય છે.
અભ્યાસ મુજબ તે ખૂબ મહત્ત્વનું છે કેમ કે સ્માર્ટફોન અને કમ્પ્યૂટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જીવન તે સામગ્રીમાં આયન સ્ટોરેજની ક્ષમતા પર નિર્ભર કરે છે, જે બેટરીના નકારાત્મક ઇલેક્ટ્રોડ બનાવે છે.
જો બેટરીમાંથી આયન ખતમ થઇ જાય તો બેટરી ઉપકરણને ચલાવવા માટે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. અમેરિકાની યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ ઉચ્ચ લિથિયમ આયન સ્ટોરેજવાળી સામગ્રી ખૂબ ભારે હોય છે અથવા તો ખોટા આકારની હોય છે, જે ગ્રેફાઇટનું સ્થાન લેવામાં સક્ષમ હોતી નથી. સામાન્ય રીતે બેટરીમાં ઇલેક્ટ્રોડના રૂપમાં ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે.
સંશોધકોએ જાણ્યું કે જ્યારે નેનો ચેન ઇલેક્ટ્રોડની સાથે કોઇન સેલ બેટરીને ૩૦ મિનિટ માટે ચાર્જ કરાઇ તો લિથિયમ આયનની ક્ષમતા બેગણી થઇ ગઇ. કેટલીક બેટરી પહેલેથી જ નેનો ચેન ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે, પરંતુ તેને બનાવનારી સામગ્રી લિથિયમ આયનની તુલનાએ ત્રણ ગણી ફેલાઇ જાય છે. આવા સમયમાં તે સુરક્ષાને લઇને ખતરનાક સાબિત થઇ શકે છે.