બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Never seen such a thing! In this state you can now go to jail when you have fun without crime, find out how
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં જેલ ટૂરિઝમની શરૂઆત થવા જઈ રહી છે, આ માટે પ્રથમ તબક્કામાં યરવડા જેલમાં આની શરૂઆત થશે, આ અવસર પર મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર જેલ પર્યટનની રીતે યરવડા જેલનું ઉદ્ઘાટન કરશે, આની પછી રાજ્યની અન્ય જેલોમાં પણ આ જ કામ કરવામાં આવશે.
શું કહ્યું મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ?
ADVERTISEMENT
જેલ ટૂરિઝમની શરૂઆતથી સામાન્ય લોકોને જેલ વહીવટી તંત્ર અને તેના રહેવાની માહિતી પ્રાપ્ત થશે, લોકોને જેલમાં થયેલી ઐતિહાસિક ઘટનાઓ અને અન્ય ઇતિહાસની જાણકારી મળી શકશે.
ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, દેશ અને રાજ્યના ઇતિહાસમાં યરવડા સિવાય અન્ય જેલોનું પણ ઘણું મહત્વ છે, આ જેલમાં ઐતિહાસિક ઘટનાઓ બની છે, આના પછી બીજા અને ત્રીજા ચરણમાં નાસિક અને નાગપૂરની જેલમાં પણ આની શરૂઆત કરવામાં આવશે.
ADVERTISEMENT
માદક પદાર્થોને લઈને પણ કરી વાત
આની સાથે જ ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે અમુક જેલોમાં માદક પદાર્થો પહોંચાડવાને લઈને તપાસ ચાલી રહી છે, નાગપુરની જેલમાં બનેલી અમુક ઘટનાઓ ઘણી ગંભીર છે, અને આ મામલે પણ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.