બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ
VTV / nearly-80-lakh-people-apply-for-covid-19-vaccination-in-three-hours
Nirav
Last Updated: 09:55 PM, 28 April 2021
ADVERTISEMENT
1 મેથી યોજાનારા આગામી તબક્કાના રસીકરણ અભિયાનમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો તમામ લોકો રસી લઈ શકશે. આ માટે બુધવારે સાંજે ચાર વાગ્યાથી કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉત્સુક છે. જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે 35 લાખ લોકોએ એક કલાકની અંદર જ રસીકરણ માટે નોંધણી કરાવી લીધી હતી.
ADVERTISEMENT
ત્રણ કલાકમાં લગભગ 80 લાખ લોકોનું રજીસ્ટ્રેશન
જો કે તે જ સમયે, લગભગ 80 લાખ લોકોએ શરૂઆતના ત્રણ કલાકમાં રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. આ તબક્કામાં, 18-44 વર્ષની વયના લોકોને રસી આપવામાં આવશે. શરૂઆતના સમયગાળામાં, કોવિન વેબસાઇટ પર કેટલીક સમસ્યાઓ સામે આવી હતી, પરંતુ પછીથી તે વ્યવસ્થિત થઈ ગયું હતું.
જો કે, નોંધણી કરાવનારા ઘણા લોકોએ રસી માટે હોસ્પિટલની લિસ્ટ જોઈ ન હતી. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ આરએસ શર્માએ આ પાછળનું કારણ આપ્યું અને કહ્યું કે લોકો ક્યારે હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લઈ શકશે.
રસી સ્લોટ્સ રાજ્યો પર નિર્ભર રહેશે
શર્માએ જણાવ્યું હતું કે કઇ હોસ્પિટલમાં લોકોને રસી અપાવવા માટે કેટલા સ્લોટ મળે છે, તે રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો પર નિર્ભર રહેશે. જ્યારે રાજ્ય અને ખાનગી હોસ્પિટલ કેન્દ્રો રસીના ભાવ વિશેની માહિતી પૂરી પાડશે, ત્યારે લોકોને રસી લેવા માટેની એપોઇન્ટમેન્ટ મળશે. ઘણા રાજ્યોમાં, તે 1 મેથી શરૂ થશે, જ્યારે કેટલાક રાજ્યો જેવા કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર વગેરેમાં થોડો વિલંબ થશે.
There have been 79,65,720 registrations on Co-WIN today, most of these in the last three hours (16:00-19:00) and mostly of 18-44 age group. We have seen a traffic of 55,000 hits per second. System functioning as expected. pic.twitter.com/AgLt3fMB7Z
— RS Sharma (@rssharma3) April 28, 2021
કોવિશિલ્ડ રસીના ભાવમાં ઘટાડો
તે જ સમયે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ રસીની કિંમત ઘટાડવાની જાહેરાત કરી હતી. પૂનાવાલાએ કોવિશિલ્ડના નવા ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે તેઓ રાજ્ય સરકારોને આપશે. હવે રાજ્ય સરકારને 400 રૂપિયાની જગ્યાએ 300 રૂપિયામાં કોવિશિલ્ડનો ડોઝ મળશે, જે સરકારના કરોડો રૂપિયાની બચત કરશે. એકવાર રાજ્ય સરકારો રસી મેળવી લેશે, ત્યારબાદ કોવિન પર રસીકરણ માટેના સ્લોટ્સ ઉપલબ્ધ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.