બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જો તમે રાજનેતા છો તો તમારુ ચામડુ મગર જેવું હોવું જોઇએ, સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર કરી ટિપ્પણી
Last Updated: 04:49 PM, 8 September 2025
તેલંગાણાના રાજકારણમાં ફરી એકવખત ગરમાવો આવ્યો છે. જી હાં સુપ્રિમ કોર્ટે રાજનીતિને લઈને એક મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોર્ટને રાજકીય રણક્ષેત્ર તરીકે વાપરી શકાશે નહીં. તેલંગાણા BJP નેતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું, જો તમે રાજનેતા છો તો તમારી ચામડી જાડી હોવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
તેલંગાણા CM રેવંત રેડ્ડીએ 2024ની લોકસભા ચુંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે જો BJP 400 સીટ જીતે તો SC, ST અને OBC માટેનું રિઝર્વેશન ખતમ કરી દેશે. આ નિવેદનને આધાર બનાવીને BJPના રાજ્ય મહામંત્રી કે. વેંકટેશ્વરલૂએ તેમના પર માનહાનિની અરજી દાખલ કરી હતી. પરંતુ ઓગસ્ટમાં તેલંગાણા હાઈકોર્ટએ આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ નિવેદન પાર્ટી વિરુદ્ધ છે, કોઈ વ્યક્તિગત વિરુદ્ધ નહીં. તેથી વ્યક્તિગત સભ્ય પોતાને પીડિત કહી શકતો નથી.
ADVERTISEMENT
હાઈકોર્ટના આદેશ સામે BJPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટએ પણ તે ફગાવી દીધી.
ચીફ જસ્ટિસે કહ્યું,
ADVERTISEMENT
અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ અદાલત રાજકીય ઝઘડાઓ માટે નથી.
જો તમે રાજકારણી છો તો ટીકા સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
રેવંત રેડ્ડી તરફથી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કે જો આ માનહાનિ છે, તો તે માત્ર રાજકીય ચર્ચાનો વિષય બની શકે નહીં. કોર્ટએ આ દલીલ માન્ય રાખી અને અરજી પર વધુ વિચાર કરવા ઇનકાર કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.