ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારત પર 'પ્રલય'નો ખતરો? 180 વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, અલ નીનો મુશ્કેલી વધારશે

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / ભારત પર 'પ્રલય'નો ખતરો? 180 વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, અલ નીનો મુશ્કેલી વધારશે

Last Updated: 09:52 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Climate Change: 180 થી વધુ વૈજ્ઞાનિકોએ 2026-27 માં શક્તિશાળી અલ નીનોની ચેતવણી આપી છે. આનાથી ભારતમાં તીવ્ર ગરમી, વરસાદમાં ઘટાડો અને જંગલો, પ્રાણીઓ, ખેતી અને મહાસાગરો પર ગંભીર અસરો થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ તાત્કાલિક પર્યાવરણીય દેખરેખ વધારવાની માંગ કરી છે.

1/5

photoStories-logo

1. સુપર અલ નીનોની દસ્તક

તેઓએ સરકાર, સંશોધન સંસ્થાઓ અને ફંડિગ એજન્સીઓને તાત્કાલિક તૈયારીઓ શરૂ કરવા વિનંતી કરી છે જેથી નુકસાન થયા પછી તેનો અભ્યાસ કરવાને બદલે અગાઉથી દેખરેખ અને રેકોર્ડિંગની વ્યવસ્થા કરી શકાય. "સુપર અલ નીનોની દસ્તક: 2026/27 માં ઇકોલોજીસ્ટ માટે ચેતવણી અને પડકાર" શીર્ષક હેઠળ આ સંશોધન 16 સપ્ટેમ્બર 2026 ના ઝેનોડો પ્લેટફોર્મ પર પ્રકાશિત થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અલ નીનો શું છે

અલ નીનો એ પેસિફિક મહાસાગર સાથે સંકળાયેલ એક કુદરતી આબોહવા ઘટના છે જેમાં સમુદ્રની સપાટીનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ થઈ જાય છે. આ વિશ્વના ઘણા ભાગોમાં હવામાનને અસર કરે છે. ભારતમાં અલ નિનો સામાન્ય રીતે નબળા અથવા વિલંબિત ચોમાસા અને વધેલી ગરમી સાથે જોવા મળે છે. જો કે દરેક અલ નિનોની સમાન અસર હોતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સમુદ્રનું તાપમાન

વૈજ્ઞાનિકોના મતે આ વર્ષે પેસિફિક મહાસાગરમાં સમુદ્રનું તાપમાન અસામાન્ય રીતે વધી રહ્યું છે, તેથી આગામી મહિનાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ પરિસ્થિતિ સામાન્ય અલ નિનો વર્ષોથી અલગ હોઈ શકે છે, જેના કારણે તેની અસરને સમજવા અને નોધવા માટે મોટા પાયે દેખરેખ જરૂરી બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભારતના ઘણા ભાગોમાં અસર

વૈજ્ઞાનિકોને આશંકા છે કે નવેમ્બર 2026 થી આવતા વર્ષ સુધી ભારતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમ અને સૂકું હવામાન જોવા મળી શકે છે. ઓછો વરસાદને કારણે પાણીની અછત રહી શકે છે, જેની સીધી અસર કૃષિ, જંગલો અને પશુપાલન પર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. માનવજાત પર અસર અને તૈયારીની જરૂરિયાત

પ્રાકૃતિક પરિવર્તનની અસરો આખરે સામાન્ય લોકો સુધી પહોંચે છે. ખેડૂતો, માછીમારો અને પશુપાલકો હવામાન પર ખૂબ નિર્ભર છે. ઓછો વરસાદ અને વધારે ગરમી ખેતી પર અસર કરી શકે છે. પર્વતીય વિસ્તારોમાં ઘાસમાં ઘટાડો થવાથી પશુપાલકો માટે ઘાસચારાની અછત સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Global Warming Science News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ