ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચીને પકડી લીધા હતા એજન્ટ, 'લાગ્યું જાણે કરિયર ડૂબી ગયું', NSA અજીત ડોભાલે સંભળાવ્યો 50 વર્ષ જૂનો કિસ્સો

નેશનલ / ચીને પકડી લીધા હતા એજન્ટ, 'લાગ્યું જાણે કરિયર ડૂબી ગયું', NSA અજીત ડોભાલે સંભળાવ્યો 50 વર્ષ જૂનો કિસ્સો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:56 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NSA Ajit Doval: અજિત ડોભાલે આઇઆઇટી રૂડકીમાં પોતાની કારકિર્દીની શરૂઆતનો એક કિસ્સો સંભળાવ્યો જ્યારે તેમને લાગ્યું કે એક મિશન પછી તેમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે.

ADVERTISEMENT

NSA Ajit Doval: અજિત ડોભાલે આઇઆઇટી રૂડકીમાં પોતાની કારકિર્દીની શરૂઆતનો એક કિસ્સો સંભળાવ્યો જ્યારે તેમને લાગ્યું કે એક મિશન પછી તેમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. પાછળથી એક શેરપાની એક નાની વાતએ તેમને મુશ્કેલ પરિસ્થિતિઓ પર એક નવો દ્રષ્ટિકોણ આપ્યો.

ક્યારેક કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કાઓ જીવનમાં મોટી સીખ આપતા હોય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે આઇઆઇટી રૂડકીના દીક્ષાંત સમારોહમાં તેમની કારકિર્દીનો આવો એક કિસ્સો સંભળાવ્યો. તેઓ 20 વર્ષની ઉંમરે સિક્કિમમાં ગુપ્ત જવાબદારી સંભાળી રહ્યા હતા. મિશન પર મોકલવામાં આવેલી તેમની એક ટીમ ઘણા દિવસો સુધી પાછી ન આવી. પાછળથી જાણવા મળ્યું કે ટીમને ચીની સેનાએ પકડી લીધી છે.

આ ઘટનાએ ડોભાલને ખૂબ જ હચમચાવી નાખ્યા. તેમને લાગ્યું કે તેમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી. તેમને ડર હતો કે કોઈ મોટી ભૂલ તેમનો આગળનો માર્ગ બંધ કરી દેશે. પછી તપાસમાં કંઈક એવું બહાર આવ્યું જેણે સમગ્ર તસવીર બદલી દીધી હતી.

આ દરમિયાન ડોભાલે તેમની સાથે કામ કરતા પૂર્વ તિબેટીયન શેરપા સાથે વાત કરી. તેમણે તેમને નકશા વાંચવાની એક સરળ તકનીક સમજાવી, જે પાછળથી જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ બની ગયો.

તેઓ સિક્કિમમાં ગુપ્ત જવાબદારી સંભાળી રહ્યા હતા

ડોભાલે જણાવ્યું કે તે સમયે તેમની ઉંમર 20 વર્ષની હતી. તેઓ સિક્કિમમાં ગુપ્ત માહિતીની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમનું કામ સરહદ પરની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું હતું. આ દરમિયાન તેમણે સરહદ નજીક ગુપ્ત માહિતી એકત્ર કરવાના મિશન પર એક ટીમ મોકલી. યોજના એવી હતી કે ટીમ લગભગ આઠ દિવસમાં પરત ફરે. પરંતુ આઠ દિવસ વીતી ગયા, પછી દસ દિવસ વધુ નીકળી ગયા. કુલ 15 દિવસ વીતી ગયા અને હજુ પણ ટીમના કોઈ સમાચાર નહોતા.

ડોભાલ માટે આ ફક્ત કામ સંબંધિત ચિંતા નહોતી. તેમને ખબર પણ નહોતી કે ટીમના સભ્યો જીવિત છે કે નહીં. કોઈ બરફવર્ષા કે અન્ય કુદરતી આફતની કોઇ જાણકારી પણ ન હતી.

પછી એક ફોન આવ્યો જેણે તેમની ચિંતા વધારી દીધી

થોડા સમય પછી ડોભાલને હેડક્વાટરમાંથી ફોન આવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે કેટલાક લોકોને સરહદ પાર મોકલ્યા છે. તે સમયે તેઓ વિગતોથી અજાણ હતા. તેમને ખબર પડી કે તેમની ટીમ ચીની સેના દ્વારા પકડી લેવામાં આવી છે. તેમના મતે ટીમના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ ઘણા દિવસો પછી પાછા ફર્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમની સ્થિતિ ઘણી ખરાબ થઇ હતી. ડોભાલે જણાવ્યું કદાચ કોઈ કરાર પછી જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના તેમના માટે એક મોટો આઘાત હતો. તે સમયે તે ખૂબ યુવા હતા. ઉપરથી તપાસ શરૂ થઈ ચૂકી હતી. તેને લાગ્યું કે બધું જ સમાપ્ત થઈ ગયું છે.

'એવું લાગ્યું કે મારી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે'

તે સમયગાળાને યાદ કરતાં ડોભાલે કહ્યું કે તેમને લાગ્યું કે આ તેની કારકિર્દીનો અંત છે. તેને લાગ્યું કે તેણે બીજી કારકિર્દી શરૂ કરવી પડશે. પરંતુ તપાસ તેમના પક્ષમાં આવી. તપાસ ટીમે જાણ્યુ કે મુખ્યાલય દ્વારા તેની ટીમને નકશા અને સ્કેચ આપવામાં આવ્યા હતા. તેમા ભૂલો હતી. પરિણામે ડોભાલને જવાબદાર ઠેરવવામાં આવ્યા ન હતા.

એટલે કે તે ઘટનામાં સીધા દોષિત નતા જેને તે તેમની સૌથી મોટી ભૂલ માનતા હતા. તેમ છતાં સમગ્ર અનુભવે તેમને માનસિક રીતે ખૂબ જ પરેશાન કરી દીધો. તેઓ તે સમયે ખૂબ જ દુઃખી હતા. તેને લાગ્યું કે બધું જ ખોટું થઈ ગયું છે.

એક શેરપાએ સમજાવ્યુ 'મેપ રીડિંગ'નો મતલબ

આ સમયે તેની સાથે કામ કરતા એક જૂના તિબેટીયન શેરપાએ તેમને એક અલગ દ્રષ્ટિકોણ આપ્યો. ડોભાલે જણાવ્યું કે તે શા માટે આટલા પરેશાન છે. ડોભાલે તેમની પરેશાની જણાવી. શેરપાએ કહ્યું કે આ બધું મેપ રિડિંગનો મામલો છે. કેટલાક લોકો નકશાને યોગ્ય રીતે વાંચે છે, જ્યારે કેટલાક ભૂલો કરે છે.

ત્યારબાદ તેમણે જીવન માટે ત્રણ સીધી વાત જણાવી. પ્રથમ, તમારે જાણવું જોઈએ કે તમે ક્યાં ઉભા છો. બીજું, તમારે સ્પષ્ટ હોવું જોઈએ કે તમે ક્યાં જઈ રહ્યા છો. ત્રીજું, તમારે ત્યાં પહોંચવાનો માર્ગ જાણવો જોઈએ. ડોભાલે કહ્યું કે આ વાત તેમની સાથે રહી ગઇ.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / તિરુપતિના લાડુના ઘીમાં પામ ઓઈલ અને કેમિકલ્સની ભેળસેળ! ED નો મોટો ખુલાસો, ફેક્ટરી માલિકની ધરપકડ

આ પાઠ જીવનને જોવાનો એક માર્ગ બન્યો

દીક્ષાંત સમારોહમાં હાજર વિદ્યાર્થીઓને આ કિસ્સો સંભળાવતા ડોભાલે આ પાઠને તેમના જીવનમાં લાગુ કર્યો. તેમણે કહ્યું કે મુશ્કેલ સમય કોઈપણ કારકિર્દીનો ભાગ હોઈ શકે છે. આવા સમયે એ સમજવું મહત્વપૂર્ણ છે કે તમે ક્યાં છો, તમારું લક્ષ્ય શું છે અને ત્યાં પહોંચવાનો માર્ગ કયો છે.

તેમની વાતનો મતલબ સીધો હતો. એક ખરાબ સમયને તમારા સમગ્ર જીવનનો અંત માનવો યોગ્ય નથી. સંજોગો બદલાઈ શકે છે. દિશા પણ બદલી શકાય છે. ફક્ત તે સમયે તમારી પરિસ્થિતિને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Doval NSA Ajit Doval

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ