બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે? શું કરવું અને ક્યાં જમા કરાવવી? જાણો
Last Updated: 12:27 AM, 3 May 2025
દેશમાં 2000 રૂપિયાની નોટ બંધ થયાને લગભગ બે વર્ષ થઈ ગયા છે. મે 2023 માં ભારત સરકારે રૂ. 2000 ની નોટ સંપૂર્ણપણે બંધ કરી દીધી. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટો પડી છે તો ગભરાવાની કે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. કારણ કે રૂ.2000 ની બેંક નોટો કાયદેસર ચલણમાં રહેશે. આ નોટો હજુ પણ ખાતામાં જમા કરાવી શકાય છે, જોકે સ્થાનિક બેંકોમાં આ શક્ય બનશે નહીં.
ADVERTISEMENT

દેશભરમાં 19 RBI ઓફિસોમાં લોકો 2,000 રૂપિયાની બેંક નોટો જમા કરાવી શકે છે. કેન્દ્રીય બેંકે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ ગુલાબી નોટો 19 RBI ઓફિસોમાં જમા કરાવી શકાય છે. આ 19 RBI ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લોકો કોઈપણ પોસ્ટ ઓફિસથી 2,000 રૂપિયાની બેંક નોટો ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ RBI ઓફિસમાં મોકલી શકે છે જેથી તેઓ ભારતમાં તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે.
વધુ વાંચો : જાતિનું પ્રમાણપત્ર કઢાવવા ઓફિસના ધક્કા નહીં ખાવા પડે! ઘરે બેઠા જ આ રીતે કરો અરજી
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રૂપિયાની નોટ અંગે એક મોટી અપડેટ આપી છે. RBI એ જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની લગભગ 98.24 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે માત્ર 6,266 કરોડ રૂપિયાની નોટો જ જનતા પાસે છે. 19 મે, 2023 ના રોજ, જ્યારે ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે તે સમયે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.