બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:50 PM, 21 May 2026
Bengaluru Airport: બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયા વિમાનનો પાછળનો હિસ્સો રનવે સાથે અથડાઈ ગયો હતો. દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને અધિકારીઓ તેની સંપૂર્ણ તપાસ કરશે.
ADVERTISEMENT
બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયાના વિમાનનો પાછળનો હિસ્સો રનવે સાથે ટકરાયો હતો. વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. ફરીથી ઉડાન ભરે તે પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી બેંગલુરુ પહોંચ્યું હતું. લેન્ડિંગ દરમિયાન પાછળના ભાગે કોઈ વસ્તુ સાથે અથડાઈ. જાણકારી અનુસાર વિમાનનો પાછળનો હિસ્સો કોઇ ચીજને ટકરાયો હતો. વિમાનમાં પાઇલટ અને કેબિન ક્રૂ સહિત 179 લોકો સવાર હતા. જોકે કોઈને ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે.
ફ્લાઇટએ બેંગલુરુથી દિલ્હી પરત ફરવાનું હતું, પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને મદદ કરવામાં સક્રિયપણે રોકાયેલી છે.
ADVERTISEMENT
વૈકલ્પિક વ્યવસ્થા કરે છે ટીમ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લેન્ડિંગ ભૂલ થયા બાદ ફ્લાઇટ AI2651 ને નિરીક્ષણ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. પરિણામે બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઇટ AI2652 પણ રદ કરવામાં આવી હતી. નિષ્ણાતોની એક ટીમ વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે. દરમિયાન બેંગલુરુમાં મુસાફરોને મદદ કરવા માટે એક ટીમ હાજર છે. તેમને દિલ્હી પાછા લાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે અસુવિધા બદલ માફી માંગી અને કહ્યું કે ક્રૂ અને મુસાફરોની સલામતી સર્વોપરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / લેડી ટીચરના એક્ટિવા સાથે ટકરાતા તૂટ્યો હાથીનો દાંત, લોકોએ કહ્યું-'આ તો બુલડોઝર કરતાં પણ મજબૂત'
ADVERTISEMENT
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના વેક ટર્બ્યુલન્સને કારણે બની હતી, જેના કારણે પાઇલટ્સને છેલ્લી ઘડીએ ફરવાની ફરજ પડી હતી. બીજા એક અધિકારીએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ B747 કાર્ગો વિમાને ઉડાન ભરી હતી. ત્યારબાદ A321 વિમાને ફિર વિંગમાં ગડબડીને કારણે ગો અરાઉંડનો નિર્ણય કર્યો. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે દિલ્હી જનારા મુસાફરોને બીજા વિમાનમાં ફરીથી બેસાડવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.