બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોઈ કોઈનું નહીં! જમીન માટે બે દિવસ ઘરમાં રાખી લાશ, ભાગ બાદ દીકરીએ કર્યાં પિતાના અંતિમ સંસ્કાર
Last Updated: 10:52 AM, 10 September 2025
મર્યા બાદ કોઈ કોઈનું નથી, એ તો જીવતા હોઈએ ત્યારે મારુ મારુ સારુ લાગે, એક વાર શરીર પડે પછી બધા સંબંધો ધૂળમાં મળી જતાં હોય છે અને સંબંધો ભૌતિક વસ્તુઓ માટે ઝગડતાં હોય છે અને ત્યાં સુધી કે મોતનો મલાજો પણ જાળવતાં નથી અને લાશને ઘરમાં પડી રાખે છે.
ADVERTISEMENT
પિતાના મોત બાદ જમીન બાબતે વિવાદ
આ કહેવતને સાચી પડતી એક આઘાતજનક ઘટના સામે આવી છે જે વાંચીને ખરેખર દુખ લાગશે. યુપીના જાલોનમાં બનેલી આ ઘટનામાં જમીનના ભાગલા બાદ ભાગ લઈને જ દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યાં હતા. જાલોનના ઔરેખી ગામમાં 52 વર્ષીય સુરેશ કુમારના અચાનક મોત બાદ પુત્રી શિલ્પી સાસરીએથી પિયર દોડી આવી અને તેના પિતાના મૃત્યુ પર શંકા વ્યક્ત કરી અને પોલીસને જાણ કરી. રવિવારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. રવિવારે સાંજે જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું. સુરેશ કુમારને એક જ પુત્રી હતી અને કોઈ પુત્ર નહોતો. પરિવારની 11 વીઘા જમીન સુરેશ કુમારના પિતા માતા પ્રસાદના નામે હતી. મૃતદેહ પાછો આવ્યા પછી, સુરેશની પત્નીએ પરિવારની જમીનના ભાગલાની માંગ શરૂ કરી. આ કારણે, રવિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શક્યા નહીં.
ADVERTISEMENT
જમીન વિવાદ બાદ પુત્રીએ પિતાને આપી મુખાગ્નિ
સોમવારે દિવસભર જમીનના ભાગની ચર્ચા ચાલતી રહી અને છેવટે ત્યારબાદ પિતા માતા પ્રસાદે સુરેશની પત્ની અને મોટા પુત્ર વચ્ચે જમીન વહેંચવા સંમતિ આપી. સાંજે, પોલીસની હાજરીમાં, પુત્રી શિલ્પી તેના પિતાના પાર્થિવ દેહને લઈ ગઈ અને સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા.
ADVERTISEMENT
વધુ વાંચો : 'ભારત પર ઠોકી દો 100 ટકા ટેરિફ', ટ્રમ્પે ભારતની પીઠમાં છરો ભોંક્યો, આ દેશોને કર્યું દબાણ
પુત્રી શિલ્પીએ શું આરોપ લગાવ્યો?
ADVERTISEMENT
પુત્રી શિલ્પીને તેના પિતાના મૃત્યુની માહિતી મળી, ત્યારે તેણે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો કે તેના પિતાનું મૃત્યુ તેના દાદા અને કાકાના કારણે થયું છે. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.