બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'ફટાકડાંનો ઉપયોગ કરનાર દેશદ્રોહી', મેનકા ગાંધીએ દિવાળી પર ફોડ્યું પ્રદૂષણનું ઠીકરું
Last Updated: 05:12 PM, 5 January 2026
Delhi News: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ દિલ્હીના પ્રદૂષણ માટે દિવાળીના ફટાકડાને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું કે પરાળી બાળવાના કે વાહનથી પ્રદૂષણની વાત ખોટી છે, કારણ કે દિવાળીના ત્રણ દિવસ પહેલા સુધી હવા સ્વચ્છ હતી. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવા બદલ પણ ટીકા કરી. તેમણે કહ્યું કે ગ્રીન ફટાકડા નામની કોઇ ચીજ નથી હોતી. ભાજપના નેતાએ સવાલ કર્યો કે ભગવાન રામ અને સીતા વનવાસમાંથી પાછા ફર્યા ત્યારે શું ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જે લોકો ફટાકડાંનો ઉપયોગ કરે છે તે દેશદ્રોહી છે- મેનકા ગાંધી | VTV Digital #ManekaGandhi #FirecrackersBan #ControversialStatement #EnvironmentalIssue #VTVDigital pic.twitter.com/s1GK0XAR84
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 5, 2026
પર્યાવરણ અને પ્રાણી અધિકારો માટે અવાજ ઉઠાવનારા ભાજપ નેતા મેનકા ગાંધીએ એક સમાચાર એજન્સી સાથેની એક મુલાકાત દરમિયાન દિવાળીના ફટાકડાને દિલ્હીના પ્રદૂષણનું મુખ્ય કારણ ગણાવ્યું. તેમણે ફટાકડા ફોડનારાઓ માટે "દેશદ્રોહી" શબ્દનો ઉપયોગ કર્યો. મેનકા ગાંધીએ કહ્યુ "જેઓ ફટાકડા ફોડે છે તેઓ 'દેશદ્રોહી' છે. આને લઇને મારા મનમાં અન્ય કોઇ શબ્દો નથી."
ADVERTISEMENT

દિવાળી પહેલા હવા સ્વચ્છ હતી: મેનકા ગાંધી
ADVERTISEMENT
મેનકા ગાંધીએ કહ્યું કે લોકો દિવાળી, દશેરા, લગ્ન પર, નવા વર્ષ, ક્રિકેટ મેચ અથવા અન્ય કોઈપણ દિવસે ફટાકડા ફોડે છે, જેના પરિણામે શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડે છે. તેમણે કહ્યું, " દેશમાં આપણે બીજાઓને દોષ આપીએ છીએ - કોઈ ખેતરમાં પરાળી સળગાવી રહ્યું છે, ગાડીમાં સમસ્યા છે - પરંતુ આ બધું જુઠ્ઠું છે. દિવાળીના ત્રણ દિવસ પહેલા સુધી હવા એકદમ સ્વચ્છ હોય છે, અને દિવાળીથી નવા વર્ષ સુધી આપણે શ્વાસ લઈ શકતા નથી... માત્ર દિલ્હીમાં દિવાળીના દિવસે 800 કરોડ રૂપિયાના ફટાકડા ફોડવામાં આવે તો શું પરિણામ આવશે?"
આ પણ વાંચોઃ કૈલાશ વિજયવર્ગીયના નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ SDMને ભારે પડ્યો
ADVERTISEMENT
ખબર નહી ત્યારે તેલ હતું કે નહી?
બીજા એક પ્રશ્નના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું, "શું રામ અને સીતાના સમયમાં ફટાકડા હતા? જ્યારે તેઓ આવ્યા ત્યારે ફક્ત દીવા જ સળગતા હતા, ખરું ને? એ પણ માલૂમ નથી કે બળતા હતા કે.... ખબર નથી કે તેલ હતું કે નહીં. પણ ફટાકડા તો ન હોતા."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.